Not Set/ દિનેશ બાંભણિયાની ધરપરડ મુદ્દે રેશ્મા પટેલની પ્રતિક્રિયા,બાંભણિયા કાનૂની પ્રક્રિયાને ફોલો કરતા ન હતાં તે તેમની ભૂલ

ગાંધીનગર, પાટીદાર અનામત આંદોલનમાં શહીદ પરિવારોને નોકરી મળે તે માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રજૂઆત કરવા રેશ્મા પટેલ પહોચ્યાં હતાં. તે સમયે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની ધરપકડ મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે,દિનેશ બાંભણિયા કાનૂની પ્રક્રિયાને ફોલો કરતાં  ન હતાં અને કાનૂની પ્રક્રિયામાં સાથ આપતાં ન હતાં. તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશ કથીરિયા મુદ્દે […]

Top Stories Gujarat
mantavya 115 દિનેશ બાંભણિયાની ધરપરડ મુદ્દે રેશ્મા પટેલની પ્રતિક્રિયા,બાંભણિયા કાનૂની પ્રક્રિયાને ફોલો કરતા ન હતાં તે તેમની ભૂલ

ગાંધીનગર,

પાટીદાર અનામત આંદોલનમાં શહીદ પરિવારોને નોકરી મળે તે માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રજૂઆત કરવા રેશ્મા પટેલ પહોચ્યાં હતાં. તે સમયે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની ધરપકડ મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે,દિનેશ બાંભણિયા કાનૂની પ્રક્રિયાને ફોલો કરતાં  ન હતાં અને કાનૂની પ્રક્રિયામાં સાથ આપતાં ન હતાં. તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

અલ્પેશ કથીરિયા મુદ્દે કહ્યું હતું કે. અલ્પેશભાઈ સમાજના ભાઈ છે. તેઓ જલ્દી છૂટી જાય તેવી મારી પણ લાગણી છે. પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા હોય તે પૂર્ણ કરવી પડે. જે  બધાએ ફોલો કરવી પડે.

પાટીદાર અનામત આંદોલનમાં શહીદ પરિવારોને નોકરી મળે તેમાટે આજે બીજા તબક્કામાં બાકી રહેલા શહીદ પરિવારના સભ્યોને લઈને રેશ્મા પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને રજુવાત કરવા પહોંચ્યા હતા.

25મી ઓગસ્ટ, 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રેલી બાદ ફાટી નીકળેલા તોફાનો અંગે સરકારે પાસ કન્વિનર હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ કર્યો હતો.

આ કેસમાં આજે સેશન કોર્ટે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ કર્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ 18 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેના આધારે ચાર્જફ્રેમ કરાયા છે.

કોર્ટની કાર્યવાહી બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી તેમજ ભવિષ્યમાં કોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને માન્ય ગણશે તેવી વાત કરી હતી. સાથે હાર્દિકે એવું પણ કહ્યું હતું કે, જો ચુકાદો તેની વિરુદ્ધમાં આવશે તો તેઓ ઉપલી કોર્ટમાં જશે.

2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જેના અનુક્રમે ગઈકાલે મોડી સાંજે અલ્પેશને સુરત ક્રાઈમ બ્રાન્ચ ખસેડાયો હતો. જ્યાં આજે ગુજરાત હાઇકોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને અમદાવાદના કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.