રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાના ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય તેમજ મોહન ભાગવતના ફોટોનો ઉપયોગ કરી નવું બંધારણ બનવા જઇ રહ્યું છે, તેવો કુપ્રચાર કરવામાં આવ્યો હતો, નવા બંઘારણમાં કહેવામાં આવ્યું છે કે, નારીને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સિમિત કરવામાં આવી રહ્યા છે.
બ્રાહ્મણ સમાજ સિવાયના વર્ગોના લોકો હલકી કક્ષાના છે, તેવુ બતાવવાનો પ્રયાસ કરતી એક PDF અને ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા છે. આ મામલે RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સમાજનાં વિવિધ વર્ગો વચ્ચેની એકતા તોડવા, ભારતની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય તેવું લખાણ લખી સોશિયલ મીડિયામાં RSS અને મોહન ભાગવતના નામે ફરતા કરવામાં આવતા RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.