રણબીર કપૂર આજે એટલે કે 9 માર્ચે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રણબીર કોરોના પોઝિટિવ હોવાને કારણે ચાહકો ખૂબ પરેશાન થયા છે. આવી સ્થિતિમાં રણબીરના કોરોના પોઝિટિવ આવવાના સમાચાર હજુ તો ઠંડા પણ નહોતા થયા કે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીના કોરોના પોઝિટિવ આવવાના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા. તાજેતરમાં જ એવું જાણવા મળ્યું છે કે દિગ્ગજ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પણ કોરોનાની પકડમાં આવી ગયા છે.
સંજય લીલા ભણસાલીએ તાજેતરમાં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે જ સમયે, તે આલિયા ભટ્ટ સાથે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પણ બનાવી રહ્યો છે, જેનું શૂટિંગ જોર-શોરથી ચાલી રહ્યું હતું. પણ હવે ફિલ્મ નિર્માતા કોરોના થઇ ગયો છે.
એક અહેવાલ અનુસાર સંજય લીલા ભણસાલીએ જ્યારે કોવિડ -19 પરીક્ષણ કરાવ્યું ત્યારે તે પોઝિટિવ આવ્યું છે. આને કારણે ફિલ્મનું શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. વળી, સંજય લીલા ભણસાલી પણ હાલ ક્વોરૅન્ટીન થઇ ગયા છે. હવે જ્યારે સંજયને કોરોના છે, તો ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય સભ્યોનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
વિવાદોમાં ગંગુબાઈ
આપને જણાવી દેઈ કે,આલિયા ભટ્ટની ફિલ્મ ગંગબાઈ કાઠિયાવાડીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને હવે તેનું નામ બદલવાની માંગ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે ફિલ્મનું નામ બદલવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે કાઠિયાવાડ શહેરની છબીને દૂષિત કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય અમીન પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે કાઠિયાવાડ હવે 1950 ના દાયકા જેવા નથી. ત્યાં, સ્ત્રીઓ વિવિધ વસ્તુઓમાં ઘણું આગળ વધી રહી છે. ફિલ્મનું નામ બદલવું જોઈએ. આ સાથે રાજ્ય સરકારે આ મામલે દખલ કરવાની માંગ કરી છે.