રાજસ્થાનના શહીદ સૌરભ કટારાના લગ્ન આ વર્ષે 8 ડિસેમ્બરે થયા હતા. લગ્ન પછી, તે 16 ડિસેમ્બરે ફરજ પર પાછા કુપવાડા ગયા. જન્મદિવસ પર, નવી લગ્નેત્તર પત્ની તેના પતિને જન્મદિવસનાં અભિનંદન આપવા માંગતી હતી, પરંતુ તે જ દિવસે જવાનની નવ પરણીતા પત્નીને તેના પતિની શહાદતનાં સમાચાર મળ્યા.
શહીદ સૌરભ કટારાનો બુધવારે એટલે કે 25 ડિસેમ્બરે જન્મદિવસ હતો. શહીદનો પરિવાર અને નવી પરિણીત પત્ની જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહી હતી, એટલામાં તેમને સમાચાર મળ્યા કે બોમ્બ બ્લાસ્ટમાં સૌરભ શહીદ થઈ ગયા છે, ત્યારબાદ તે પરિવાર પર દુ: ખનો પર્વત ટુટી પડ્યો હતો.
શહીદ સૌરભ કટારાને અંતિમ વિદાય આપવા હજારો લોકો એકઠા થયા હતા અને હજારો લોકો ભીની આંખોથી શહીદને અંતિમ વિદાય આપી હતી. જો કે, પોતાનો સુહાગ ગુમાવી ચૂકેલી શહીદની નવ પરિણીત પત્ની પૂનમ દેવીની હાલત ખરાબ હતી. તે પણ તેના શહીદ પતિને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોંચી હતી.
આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં ભરતપુરનાં વતની, 22 વર્ષીય શહીદ સૌરભ કટારા આર્મીની 28 મી રાષ્ટ્રીય રાઇફલમાં નોકરી કરતા હતા અને તેની ફરજ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હતી, જ્યાં તે મંગળવારે રાત્રે બોમ્બ બ્લાસ્ટમાં તે શહીદ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.