રાજકોટ/ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ

સમગ્ર રાજય માં હવે  કોરોનાના  કેસ ઘટતા જોવા મળી  રહ્યા છે .તેમ  છતાં અનેક પરીક્ષાઓ રદ થતી જોવા મળી રહી છે . હાલ માં જ  ગુજરાતમાં  બોર્ડની ધોરણ ૧૨ની  બોર્ડની પરિક્ષા રદ  કરવામાં આવી છે .  રાજય સરકાર ના આ નિર્ણય  પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૧૫ જૂનથી  ચાલુ થનારી ૩૦ પરીક્ષાઓ હવે  મોકૂફ રાખવામાં આવી છે […]

Gujarat Rajkot
Untitled 42 સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ

સમગ્ર રાજય માં હવે  કોરોનાના  કેસ ઘટતા જોવા મળી  રહ્યા છે .તેમ  છતાં અનેક પરીક્ષાઓ રદ થતી જોવા મળી રહી છે . હાલ માં જ  ગુજરાતમાં  બોર્ડની ધોરણ ૧૨ની  બોર્ડની પરિક્ષા રદ  કરવામાં આવી છે .  રાજય સરકાર ના આ નિર્ણય  પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૧૫ જૂનથી  ચાલુ થનારી ૩૦ પરીક્ષાઓ હવે  મોકૂફ રાખવામાં આવી છે .  પરિક્ષાની નવી તારીખો ટૂંક જ  સમયમાં જાહેર કરવામાં આવશે તેવું યુનિવર્સિટીના સત્તાધીશો પાસેથી જાણવા મળી રહ્યું  છે.

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા બીએસસી સેમ- ૬, એમએસસી સેમ્- ૪, બીએસસી સેમ- ૬, પીજીડીએમસી સેમ- ૮, એમબીએ સેમ-૪, બીએસસી સેમ- ૪, બીએ સેમ- ૪, બીએસડબલ્યુ સેમ- ૬, એમએસડબલ્યુ સેમ- ૪, એમએ સેમ્ -૪ સહિત ૩૦ પરિક્ષાઓ ૧૫ જૂને  ચાલુ થવાની હતી .આ તમામને લઈને બેઠક વ્યવસ્થા સહિતના તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી.  પરંતુ  શુક્રવારે મોડી રાત્રે જાહેર થયેલાં પરિપત્રને અનુસરતા  આ પરિક્ષા હાલ પુરતી  મોકૂફ  રાખવામાં આવી છે . સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાને  ઓનલાઇન  લેવી કે નહિ તે અંગેનો નિર્ણય યુનિ.સિન્ડીકેટ મેમ્બરો ડીન સાથે બેઠક બાદ  લેવાશે.