કોંગ્રેસ દ્વારા આજે ભારત બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત બચાવ રેલી દિલ્હીમાં યોજાશે. કોંગ્રેસનો કાર્યક્રમ ભારત બચાવો રેલી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાવા જઇ રહી છે, ત્યારે દેશભરમાંથી કોંગ્રેસનાં કાર્યકરો રેલીમાં બહોળી સંખ્યામાં હાજરી આપશે. ગુજરાત કોંગ્રેસનાં પણ 5,000 જેટલા કાર્યકર્તાઓ દિલ્હી પહોંચ્યા છે.
ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પણ આજનાં કાર્યક્રમને સફળ બનાવવા દિલ્હી પહોંચ્યા છે. દેશભરમાંથી લાખો કોંગી કાર્યકતાઓ જ્યારે રેલીમાં જોડાઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોઘવારી, બેરોજગારી, આર્થિક મંદી, CAB સહિતના મુદ્દા પર રેલી દ્વારા દેખવ યોજી સરકારને ઘેરવાની કોશિશ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આયોજીત આ રેલીમાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિનાં તમામ દિગ્ગજ નેતા જોડાશે અને કાર્યકરોને દેશ વ્યાપી આંદોલન માટે ઉત્સાહિત કરશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.