- રાજ્યમાં આવતીકાલે શાળાઓ ચાલુ રાખવા પરિપત્ર
- કેન્દ્ર સરકારનાં નોટીફિકેશન બાદ શિક્ષણ વિભાગેનો પરિપત્ર
- પીએમ મોદી ‘અખિલ ભારતીય શિક્ષા સમાગમ’નું ઉદઘાટન કરશે
- નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થયે કરશે ઉદઘાટન
- 9 થી 12 સુધી તમામ શાળાઓમાં કાર્યકમ દર્શાવવા પરિપત્ર
- બપોરે 2 વાગે સુધી પત્રક ભરી સોફ્ટ કોપી ઇ-મેઇલ કરવા આદેશ
- આવતીકાલે મોહરમ હોવાથી અનેક સ્કૂલોમાં કરાઈ છે રજા જાહેર
ગુજરાતમાં આવતીકાલે શાળાઓ ચાલુ રાખવાનો પરિપત્ર શિક્ષણ વિભાગે જાહેર કર્યો છે. વાસ્તવમાં આવતીકાલે મુસ્લિમ તહેવાર મોહરમ હોવાથી જાહેર રજા છે. તે છંતા પણ આવતીકાલે શાળાઓ ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યાે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્વઘાટન કરશે ,નવી શિક્ષા નીતિના 3 વર્ષ પરિપૂર્ણ થતા કરશે ઉદ્વઘાટન. આ અંતર્ગત 9થી 12 સુધી તમામ શાળાઓમાં કાર્યક્રમ દર્શાવવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બપોરે 2 કલાક સુધી પત્રક રીને સોફટ કોપી ઇમેલ કરવા આદેશ કરાયો છે.