જમ્મુ-કાશ્મીર/ અવંતીપોરામાં સુરક્ષા દળોએ બે આંતકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. J-K પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે

Top Stories India
4 33 અવંતીપોરામાં સુરક્ષા દળોએ બે આંતકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. J-K પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સાથે આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓની ઓળખ ત્રાલના શાહિદ રાથેર અને શોપિયાંના ઉમર યુસુફ તરીકે થઈ છે.J&K IGએ કહ્યું કે આતંકવાદી શાહિદ અરિપાલની મહિલા શકીલા અને લુરગામ ત્રાલના સરકારી કર્મચારી જાવિદ અહેમદની હત્યામાં સામેલ હતો. આતંકીઓ પાસેથી 2 AK-47 મળી આવી છે.

અગાઉ કઠુઆમાં સુરક્ષા દળોએ સરહદ પારથી આવેલા ડ્રોનને પણ તોડી પાડ્યું હતું. આ ડ્રોન દ્વારા 7 ગ્રેનેડ અને બોમ્બ લાવવામાં આવી રહ્યા હતા. સવારે પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળોએ ડ્રોનને જોયો અને તેનો નાશ કર્યો. તે જ સમયે, ગયા ગુરુવારે, સુરક્ષા દળોએ કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું કહેવાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસને કેટલાક આતંકીઓ જુમાગુંડમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા.