પાકિસ્તાનથી કથિત રીતે પોતાના પ્રેમી માટે ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરનો મામલો હવે રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. અહેવાલ છે કે સીમાના બોયફ્રેન્ડ સચિનના પિતા પોતાના વકીલ સાથે રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થઈ ગયા છે. સચિનના પિતા સીમા હૈદરને ભારતીય નાગરિકતા આપવાની રાષ્ટ્રપતિ પાસે માગ કરશે.
શું છે સીમા હૈદરનો મામલો
નોંધપાત્ર વાત એ છે કે, સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને શંકાની નજરે જોઈ રહી છે, જે મે મહિનામાં ગેરકાયદેસર રીતે ભારત આવી હતી અને અહીં પોતાના પાર્ટનર સાથે રહે છે. આ સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા મંગળવારે સતત બીજા દિવસે પણ નવ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સીમા હૈદરના ભારતીય સાથી સચિન મીના અને તેના પિતા નેત્રપાલ સિંહની પણ પૂછપરછ કરવામાં આવી છે. સીમા હૈદર (30) અને સચિન મીના (22)ની સ્થાનિક પોલીસે 4 જુલાઈના રોજ ગ્રેટર નોઈડાથી ધરપકડ કરી હતી, પરંતુ 7 જુલાઈના રોજ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. સીમા મે મહિનામાં સચિન સાથે તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી. આ વર્ષની શરૂઆતમાં નેપાળમાં લગ્ન કર્યા હોવાનો દાવો કરનાર આ કપલ 2019માં ઓનલાઈન ગેમ PUBG દ્વારા પ્રથમ વખત સંપર્કમાં આવ્યું હતું.
સીમા હૈદર પર વિદેશ મંત્રાલયે શું કહ્યું?
બીજી તરફ, વિદેશ મંત્રાલયે ગઈ કાલે કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિક સીમા હૈદર સાથે જોડાયેલા કેસમાં તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને કહ્યું, “અમે આ બાબતથી વાકેફ છીએ. તે કોર્ટમાં હાજર થઇ અને તેને (સીમા હૈદર) કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે જામીન પર બહાર છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આ એક ન્યાયિક મામલો છે અને તપાસ ચાલી રહી છે, તેથી હું વધુ કંઈ કહેવા માગતો નથી.”
આ પણ વાંચો:કેજરીવાલ સરકારે કરી મોટી જાહેરાત, વીજળી,પાણી બાદ હવે ગરીબોને ખાંડ પણ મફતમાં મળશે
આ પણ વાંચો:બિહારમાં ભાજપના નેતા વિજય સિંહનું મોત આ કારણથી થયું,પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો આ ખુલાસો,જાણો
આ પણ વાંચો:CM શિવરાજના હેલિકોપ્ટર પાસે વીજળી પડી,ટેકનિકલ ખામી સર્જાતા રોડ માર્ગે ભોપાલ પરત ફર્યા
આ પણ વાંચો:શરદ પવારને મોટો ફટકો, નાગાલેન્ડના NCPના તમામ સાત ધારાસભ્યોએ અજિત પવારને આપ્યું સમર્થન