રાજકોટ,
રાજકોટમા છેલ્લા એક અઠવાડિયાથી લાઈફ કેર હોસ્પિટલ વિવાદમા સંપડાય છે. તો તેની સાથે જ તેના સંચાલક ડો.શ્યામ રાજાણી વિરૂધ્ધ એક બાદ એક ગુના બિ ડિવિઝન પોલીસ દ્વારા દાખલ કરવામા આવી રહ્યા છે.
બોગસ તબીબ શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે લાઇફ કેર હોસ્પિટલમાંથી તપાસ હાથ ધરી હતી. જેમાં તેમને સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે મનિષ મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર જ્યારે આ દવાઓનો રિપોર્ટ માંગશે ત્યારે અમે રજુ કરીશુ. રાજકોટમાં બે જગ્યાએથી દવાઓ સપ્લાઇ કરવામાં આવે છે, ત્યારે શ્યામ રાજાણીના દવાખાના પર સરકારી દવાઓનો જથ્થો કઇ જગ્યાએથી સપ્લાઇ કરવામા આવ્યો છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરશે.