ધો-12ના પુસ્તકમાં ગંભીર ભૂલ સામે આવી છે. ધો-12ના સંસ્કૃતના પુસ્તકમાં રામે સીતાનું અપહરણ કર્યું હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યુ છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે પ્રુફ રીડિંગમાં પણ આ ભૂલ સામે આવી નહોતી.
ત્યારે પાઠ્યપુસ્તક મંડળની ઘોર બેદરકારી અને ગંભીર છબરડો સામે આવ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અને પાઠ્ય પુસ્તક મંડળનાં અધ્યક્ષે પ્રતિક્રિયા આપી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાણાવ્યું હતું કે પ્રૂફરીડરની ભૂલ છે અને પ્રૂફરીડરની સામે પગલા લેવામાં આવશે.