Tellywood/ ‘સેક્સ માટે કોઈ પુરુષની જરૂર નથી…’, આત્મવિવાહ કરવા બદલ ટ્રોલ થઈ અભિનેત્રી, હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ

અભિનેત્રીએ માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલો પોતાનો ફોટો શેર કરીને ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી હતી. અભિનેત્રીએ પોતાની સાથે લગ્ન કર્યા પછી ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી, જેનો તેણે હવે જવાબ આપ્યો છે.

Trending Entertainment
કનિષ્કા સોની

ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’ ફેમ અભિનેત્રી કનિષ્કા સોની આ દિવસોમાં ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેણે પોતની સાથે જ લગ્ન કર્યા છે. અભિનેત્રીએ માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલો પોતાનો ફોટો શેર કરીને ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી હતી. અભિનેત્રીએ પોતાની સાથે લગ્ન કર્યા પછી ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી, જેનો તેણે હવે જવાબ આપ્યો છે.

કનિષ્ક સોની હેટર્સનો જવાબ

અભિનેત્રી કનિષ્કા સોનીના લગ્ન વિશે કેટલાક લોકોને સમજાયું નહીં અને તેઓએ કનિષ્કની પોસ્ટ પર તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ પછી અભિનેત્રીએ હવે એક વીડિયો મેસેજ શેર કરીને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

કનિષ્ક સોનીએ વીડિયોમાં કહ્યું- મેં જોયું છે કે મારી પોસ્ટ પર ખૂબ જ વિચિત્ર કોમેન્ટ આવી રહી છે, જેમાં મેં મારી જાત સાથે લગ્ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. મેં આ લગ્ન અંગે મક્કમ નિર્ણય લીધો છે. ઘણા લોકોએ મને કહ્યું કે મેં વિજ્ઞાનની અવગણના કરી છે, તેઓ મને પૂછે છે કે હું કોની સાથે સેક્સ કરીશ. આપને જણાવી દઈએ કે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે અને હવે સ્ત્રીને સેક્સ માટે પુરુષની જરૂર નથી.

https://www.instagram.com/reel/ChXxms9JEsA/?utm_source=ig_embed&ig_rid=b4818259-e014-4500-b2b5-df65b0a03d32

કનિષ્ક સોનીએ શા માટે પોતાની જાત સાથે લગ્ન કર્યા?

કનિષ્કે પોતાના વીડિયોમાં લગ્ન કરવાનું કારણ પણ જણાવ્યું હતું. તેણીએ કહ્યું- હું ગુજરાતના રૂઢિચુસ્ત પરિવાર સાથે સંબંધ રાખું છું. લગ્ન કરવાનું હંમેશા મારું સપનું હતું. પરંતુ હું મારા જીવનમાં ક્યારેય એવી વ્યક્તિને મળી નથી જે તેના શબ્દો પર અડગ રહે. મેં હંમેશા જોયું છે કે પુરુષો જે કહે છે તેને ક્યારેય વળગી રહેતા નથી. તેથી જ હું માનું છું કે હું મારા બાકીના જીવન માટે એક માણસ વિના જીવી શકું છું. જો હું પોતે કમાતી હોઉં તો મારે કોઈ માણસની જરૂર નથી. હું સ્વતંત્ર છું. હું મારી જરૂરિયાતો અને સપનાઓ પૂરા કરી શકું છું.

Instagram will load in the frontend.

કનિષ્કે એમ પણ કહ્યું- 90 ટકા મહિલાઓ લગ્ન કરીને ખુશ નથી. મેં પુરૂષોમાંથી તમામ વિશ્વાસ ગુમાવી દીધો છે.

કનિષ્કે પોતાનો વીડિયો શેર કરતાં એક લાંબી નોટ પણ લખી છે. અભિનેત્રીએ લખ્યું – લગ્ન સેક્સ વિશે નથી. તે પ્રેમ અને પ્રામાણિકતા વિશે છે. મેં એ વિશ્વાસ ગુમાવી દીધો છે. હું માનું છું કે બહારની દુનિયામાં મળવાનું મુશ્કેલ બને ત્યારે એકલા રહીને પોતાને પ્રેમ કરવો વધુ સારું છે. મારી પોસ્ટને ટ્રેન્ડ કરવા અને તેને સમાચારમાં લાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ મારો ઈરાદો નહોતો.

કનિષ્કે આગળ લખ્યું- પોસ્ટ પોસ્ટ કરતી વખતે કેટલાક લોકોએ કહ્યું કે હું નશામાં હોવ અથવા તો મેં ગાંજો પીધો હોવો જોઈએ, પરંતુ તમને જણાવી દવ કે હું દિલથી એટલી ભારતીય છું કે લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાં પણ હું ક્યારેય આલ્કોહોલનો ઉપયોગ કર્યો નથી. અથવા બીજું કંઈ લેવાનો પ્રયાસ કર્યો નથી. મેં આ નિર્ણય મારા દિલ અને આત્માથી ખુલ્લા મનથી લીધો છે. મને ખુશી છે કે હું અત્યારે અમેરિકામાં છું અને હોલીવુડમાં મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.

હિટ ટીવી શોમાં કામ કરી ચુકી છે. ‘દિયા ઔર બાતી હમ’, ‘પવિત્ર રિશ્તા’એ ટીવી જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ સાથે જ કનિષ્કાની વાત કરવામાં આવે તો હવે હોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. તેણે હોલીવૂડમાં ડેબ્યૂ કરવા માટે ટીવી ઈન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધું છે.

થોડા સમય પહેલાં વડોદરાની શમા બિંદુ નામની યુવતીએ પણ દેશના સૌપ્રથમ ‘આત્મવિવાહ’ કરીને દેશભરમાં ચર્ચા જગાવી હતી.

કનિષ્ક સોનીએ તો પોતાની સાથે લગ્ન કરવાના નિર્ણય વિશે પણ જણાવ્યું છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે?

આ પણ વાંચો:શેખ હસીના આવશે ભારત પ્રવાસે, PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત; આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો:217 નિર્દોષોનો હત્યારો અલ કાયદાનો આ આતંકવાદી હવે જેલમાંથી થશે ‘મુક્ત’,

આ પણ વાંચો:સોમાલિયામાં મુંબઈ જેવો હુમલો, 12ના મોત, આતંકીઓએ હોટેલ હયાત પર કર્યો કબજો