નિવેદન/ શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ નારાજ ધારાસભ્યો માટે છે ?આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી

સિનિયર નેતાઓનાં પત્તાં કપાઈ ગયા છે, ભાજપનાં નેતાઓ પાર્ટી જે નિર્ણય કરે તો શિરોમાન્ય છે ત્યારે શંકરસિંહનું ટ્વિટ વાયરલ થઇ રહ્યુ છે.

Top Stories
bapu 1 શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ નારાજ ધારાસભ્યો માટે છે ?આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની અંદર અસંતુષ્ટ નેતાઓ લિસ્ટ વધી રહી છે,ઘણા બધા  વરિષ્ઠ નેતાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા નથી ત્યારે સ્વાભાવિક છે કે નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ સૂચક નિવેદન આપ્યું છે. પરોક્ષ રીતે નિશના સાધ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે કે યુદ્ધ એ જ કલ્યાણ છે.

 

 

ભારતીય જનતા પાર્ટીએ નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી લાગુ કરી છે જે બાદ ઘણા સિનિયર નેતાઓનાં પત્તાં કપાઈ ગયા છે, જોકે ભાજપનાં નેતાઓ પાર્ટી જે નિર્ણય કરે તો શિરોમાન્ય છે તેવું કહી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કહ્યું છે કે આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારનાં કૌરવો સામે લડવું એજ ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે. આવી પરિસ્થિતિ આવે તો ‘અર્જુન’ તારે નિઃસંકોચ યુદ્ધ કરવું પડશે.