આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે. ત્યારે ભોળાનાથનાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આજે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો અહી રખિયાલ ખાતે આવેલ ચકોડિયા મહાદેવનાં મંદિરમાં ભક્તો 21 ફૂંટ ઉંચા અને 200 વર્ષ જુના શિવલિંગનાં દર્શનાર્થે પહોચ્યા છે.
અમદાવાદનાં રખિયાલમાં આવેલા 21 ફૂટ ઉંચા અને 200 વર્ષ જુના શિવલિંગને જોવા દૂર દૂરથી ભક્તો દોડી આવે છે. આજે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે પણ સવારથી જ ભક્તો દોડી આવ્યા છે. અહી સવારથી જ વરસાદ પડી રહ્યો છે તેમ છતા શિવ ભક્તો ધીરે ધીરે દર્શનાર્થે આવી રહ્યા છે. અહી આપને 12 જ્યોતિર્લિંગનાં દર્શનનો લાહ્વો મળશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.