પાકિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ સતત પેચીદી બની છે. આજે સોમવારે પાડોશી દેશમાં નવા વડાપ્રધાનની પસંદગી થવાની છે, પરંતુ તે પહેલા જ રસ્તાઓ પર ઈમરાનના સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. ઇમરાનના લાખો સમર્થકો કરાચીથી લાહોર સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ઇમરાન ખાનને ફરીથી પીએમ બનાવવામાં આવે. આવી જ એક રેલીમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લાગ્યા છે.પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના શેખ રાશિદ રવિવારે રાવલપિંડીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લાગ્યા હતા. સેના વિરુદ્ધ આ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
راولپنڈی /10 اپریل
پنڈی کی عوام کا شکریہ 🇵🇰✌️
عمران خان سے اظہار یکجہتی کے سلسلے میں لال حویلی سے براہ راست عوام کے جام غفیر سے خطاب🇵🇰👇https://t.co/Tc0IG0n2DJ@ImranKhanPTI pic.twitter.com/BG7uYtTOqv— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) April 10, 2022
ઈમરાનને પીએમની ખુરશી પરથી હટાવવા પાછળ પાકિસ્તાનની સેના અને સેના પ્રમુખ જનરલ બાજવાનો હાથ હોવાનું માનવામાં આવે છે. જો કે, સંબોધન દરમિયાન થોડીવાર પછી શેખ રશીદે લોકોને આવા નારા ન લગાવવાની અપીલ કરી, જેના પછી લોકો શાંત થયા.પાકિસ્તાનમાં જનતાનો એક મોટો વર્ગ છે જે ઈમરાન ખાનને પીએમ તરીકે જોવા માંગે છે. હાલમાં ઇમરાનના સમર્થનમાં પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના દેખાવો ચાલી રહ્યા છે. હાલમાં ઈસ્લામાબાદ, કરાચી, પેશાવર, મલાકંદ, મુલતાન, ખૈબર, ઝાંંગ અને ક્વેટામાં વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે.