સોહરાબુદ્દીન શેખના કથિત એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં ફરીથી એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અપીલ સોહરાબુદ્દીન શેખના ભાઇ રુબાબુદ્દીને 21 ડિસેમ્બર 2018 ના વિશેષ સીબીઆઇ અદાલતના એ નિર્ણય વિરુદ્વ કરી જેમાં કોર્ટે બધા જ આરોપીઓને છોડી દીધા હતા.
જણાવી દઇએ કે આ મામલે મુંબઇ સ્થિત સીબીઆઇની એક વિશેષ અદાલતે 13 વર્ષ બાદ નિર્ણય આપ્યો હતો. પોતાના નિર્ણયમાં અદાલતે પુરાવાના અભાવે 22 આરોપીઓને છોડી દીધા હતા. કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે રજૂ કરવામાં આવેલા સાક્ષી અને પુરાવા કથિત ષડયંત્ર અને હત્યાને સાબિત કરવા માટે પર્યાપ્ત નથી.