શુદ્ધિકરણ/ ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજીમાં યોજાશે આ વિશેષ સમારોહ

શુદ્ધિકરણના દિવસે બપોરે 1.30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અને ત્યાર બાદ મંદિર યાત્રિકો માટે સંપૂર્ણ બંધ રહેશે અને મંદિરની શુદ્ધિકરણની વિધિ પૂર્ણ થયા બાદ સાંજની આરતી કરવામાં આવશે.

Top Stories Gujarat
amreli 2 ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજીમાં યોજાશે આ વિશેષ સમારોહ

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા બાદ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા પછી મંદિરની પવિત્રતાને શુદ્ધ કરવા માટે સમગ્ર સંકુલને સેનિટાઇઝ કરવામાં આવે છે. આ પદ્ધતિને પક્ષાલન વિધિ કહેવામા આવે છે.  તેથી, મંગળવાર, 13 સપ્ટેમ્બરના રોજ, મંદિરમાં જ શુદ્ધિકરણ વિધિ થશે, ત્યારબાદ મંદિરને દર્શનાર્થીઓ માટે બપોર પછી બંધ કરવામાં આવશે. જેમાં અંબાજીના મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર સંકુલની સફાઈ કરવામાં આવે છે.  આ પદ્ધતિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના પાણીથી ધોવામાં આવે છે. માતાજીના સોના-ચાંદીના આભૂષણોને મંદિરના પવિત્ર જળમાં ધોવામાં આવે છે.

પ્રક્ષાલન વિધિ શું છે 

અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ પછી ચોથા દિવસે પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર કરવામાં આવે છે. ભાદરવી પૂનમ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવે છે. જેમાં અનેક યાત્રાળુઓ રસ્તામાં શૌચાલય વગેરે કરી સીધા મંદિરે જાય છે. આમાં મંદિરની પવિત્રતા જળવાતી નથી. ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરિસર નદીના પાણીથી ધોવામાં આવે છે. માતાજીના વિવિધ શ્રૃંગારની સાથે પૂજાની તમામ સામગ્રી સાફ કરવામાં આવે છે જેને પ્રક્ષાલન વિધિ કહેવામાં આવે છે. આ વખતે આ શુદ્ધિકરણ વિધિ માટે 13મી સપ્ટેમ્બર મંગળવારના રોજ એટ્લે કે આજે યોજવામાં આવશે. માતાજીના રાજભોગ પછી મંદિર યાત્રિકો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. શુદ્ધિકરણની વિધિ બાદ નૈવેદ્ય અર્પણ કરીને મંદિરને ફરી ખોલવામાં આવશે. 14 સપ્ટેમ્બરથી મંદિરમાં દર્શન આરતી રાબેતા મુજબ થશે.

અંબાજી મંદિરના મહારાજ દેવાંગ ઠાકરે જણાવ્યું હતું કે, શુદ્ધિકરણના દિવસે બપોરે 1.30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અને ત્યાર બાદ મંદિર યાત્રિકો માટે સંપૂર્ણ બંધ રહેશે અને મંદિરની શુદ્ધિકરણની વિધિ પૂર્ણ થયા બાદ સાંજની આરતી કરવામાં આવશે. યાત્રાળુઓ રાત્રે 9 વાગ્યાથી બીજા દિવસે દર્શન કરી શકશે.

નવરાત્રીને લઇ અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

પક્ષાલનના દિવસે મંદિરમાં દર્શનનો સમય

સવારના દર્શન 7.30 થી 11.30 વાગ્યા સુધી, બપોરના દર્શન માત્ર 12.30 થી 1.30 વાગ્યા સુધી જ રહેશે. સાંજની આરતીની વિધિ સંપન્ન થયા બાદ રાત્રે 9 કલાકે ભક્તો દર્શન કરી શકશે. મંગળવારે બપોરે 1.30 વાગ્યા પછી મંદિર સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંગળવારે ગર્ભગૃહ સહિત મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આ વિધિ ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા પછી જ થાય છે. જેમાં મંદિરમાં રાખવામાં આવેલ શ્રી યંત્રને આ દિવસે બહાર કાઢવામાં આવે છે. તેથી આ ધાર્મિક વિધિનું મહત્વ અનેકગણું છે. આ વિધિ બપોરે 1 વાગ્યા પછી શરૂ થાય છે. આથી બપોરના 1 વાગ્યાથી મંદિરને પક્ષાલન સમારોહ માટે બંધ કરી દેવામાં આવશે. સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે.

મંદિર 7 નદીઓના પાણીથી ધોવામાં આવે છે. 

આ પદ્ધતિ સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા કરવામાં આવે છે. મા અંબાના ગર્ભગૃહ સહિત સોના અને ચાંદીના આભૂષણો ગંગા અને સરસ્વતીના પાણી સહિત સાત નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. સાત નદીઓનું પાણી શુદ્ધિકરણ માટે લાવવામાં આવે છે. ત્યાર બાદ તેને શુભ મુહૂર્તમાં માતાજીના મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે.

પક્ષાલન વિધિ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક વાતાવરણ સર્જાતા પવિત્રતા વિધિમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી પહોંચે છે. એવું કહેવાય છે કે શુદ્ધિકરણ વિધિ કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. આથી મોટી સંખ્યામાં ભક્તો આ અનુષ્ઠાનમાં ભાગ લેવા આવે છે અને પ્રસંગનો લાભ લે છે.