કોલંબો,
ભારતે બાંગ્લાદેશને 17 રને હાર આપની નિદહાસ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ટી-20ની આ ટ્રાઇ સીરીઝમાં પ્રથમ બેટીંગ કરતાં ભારતે 3 વિકેટે 176 રન કર્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 6 વિકેટે 159 રન કરતાં તેનો 17 રને પરાજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 61 બોલમાં 89 રન કર્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો,જ્યારે સ્પીનર વોશિગ્ટન સુંદરે 22 રનમાં 3 વિકેટ લેતાં ભારતની જીત નિશ્ચિત થઇ હતી.
રોહિત શર્માએ શિખર ધવન(35) સાથે મળી પ્રથમ વિકેટ માટે 9.5 ઓવરમાં 70 રન જોડ્યા હતા. સુરેશ રૈનાએ પણ 30 બોલમાં 47 રન કર્યા હતા.
બાંગ્લાદેશ તરફથી રૂબેલ હુસેન જ કામયાબ બોલર રહ્યો હતો અને તેણે 2 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી.લિટોન દાસ માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. બાંગ્લાદેશની ટીમ તરફથી માત્ર મુશિફિકુર રહીમ 72 રન કરીને ટીમની લાજ રાખી હતી. બીજા બેટ્સમેન તમિમ ઇકબાલ(27), સબ્બીર રહેમાન(27) અને મહેમુદુલ્લાહ(11) રન કરી કરી શક્યા હતા.