ગુહાવટી,
બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ગુહાવટીમાં રમાનારી પહેલી વન-ડે માટે ૧૨ સભ્યોની ટીમની પસંદગી કરાઈ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી પહેલી વન-ડે માટે ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીને આપવામાં આવી છે.
![#INDvWI : પ્રથમ વન-ડે પહેલા BCCIએ જાહેર કરાઈ ૧૨ સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓને રખાયા બહાર 2 13 6 #INDvWI : પ્રથમ વન-ડે પહેલા BCCIએ જાહેર કરાઈ ૧૨ સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓને રખાયા બહાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/13-6.jpg)
૧૨ સભ્યોની ટીમમાં મનીષ પાંડે અને કે એલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી, જયારે વન-ડે કેરિયરમાં માત્ર ૨ વિકેટ લેનારા ખલીલ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે.
૧૨ સભ્યોની ભારતીય ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), વૃષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, ઉમેશ યાદવ