સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે સસ્તા અનાજ ની દુકાનો ગ્રામ્ય વિસ્તારો માં ઉપલબ્ધ કરી છે. પણ આ અનાજ સંચાલકો એ ગરીબો નું અનાજ સમય એ નહીં આપ્યા ની ફરિયાદ ઊઠી છે.
સુરત જિલ્લા ના માંડવી તાલુકા માં સસ્તા અનાજ ની દુકાનો માંથી ગરીબ આદિવાસી રેશનકાર્ડ ધારકો ને મળવા પાત્ર અનાજ સમયસર મળતું ના હોવાની ફરિયાદો ઉઠી છે. નિયત સમયએ ધારકો સસ્તા અનાજ ની દુકાને જાય તો અનાજ મળતું નથી. અને દુકાનો બંધ હોય છે.
સરકાર દ્વારા ફાળવવા માં આવતું અનાજ નિયત મહિનામાં પણ મળતું નથી. ઓગસ્ટ માસ નું અનાજ સપ્ટેમ્બર ની પ્રથમ તારીખ એ આવી જતું હોય છે. છતાં સંચાલકો જથ્થો બારોબાર વગે કરી રહ્યા ની પણ ફરિયાદ ઉઠી હતી.
સસ્તા અનાજની બુમરાણ ની વાત કરી એ તો માંડવી તાલુકા ના 4 ગામો જેવાકે તરસાડા ખુર્દ , ગામતળાવ ખુર્દ, ગોળધા, ઉમરખડી જેવા ગામના લોકો મોટી સંખ્યા માં મામલતદાર કચેરી પોહચ્યા હતા. અને માંડવી મામલતદાર ને આવેદન પત્ર આપી ફરિયાદ કરી હતી