રાજકોટમાં સમૂહ પ્રતિક્રમણ વર્લ્ડ રેકોર્ડ નોંધાય તેવો પ્રયાસ શરૂ કરાયો છે. ઓછામાં ઓછા 11 હજાર અને વધુમાં વધુ 15 હજાર જૈનો એક સાથે પ્રતિક્રમણ કરશે, અને જો આ શક્ય બન્યું તો આવું ગુજરાતમાં પ્રથમ વખત બન્યું ગણાશે. વર્લ્ડ રેકોર્ડ માટે લિમ્કા, ગોલ્ડન તેમજ ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવાઇ છે.
![કાલથી પર્યૂષણ : રાજકોટમાં સંવત્સરીએ જૈન સમાજ કરશે પ્રતિક્રમણનો વર્લ્ડ રેકોર્ડ 5 dungar darbar e1536230223703 કાલથી પર્યૂષણ : રાજકોટમાં સંવત્સરીએ જૈન સમાજ કરશે પ્રતિક્રમણનો વર્લ્ડ રેકોર્ડ](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/dungar-darbar-e1536230223703.jpg)
આવતીકાલથી પર્યૂષણ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે અત્યારથી જ જૈન શ્રાાવકોમાં સમૂહ પ્રતિક્રમણનો વર્લ્ડ રેકોર્ડને લઇને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
![કાલથી પર્યૂષણ : રાજકોટમાં સંવત્સરીએ જૈન સમાજ કરશે પ્રતિક્રમણનો વર્લ્ડ રેકોર્ડ 6 daanthi vardaan e1536230249915 કાલથી પર્યૂષણ : રાજકોટમાં સંવત્સરીએ જૈન સમાજ કરશે પ્રતિક્રમણનો વર્લ્ડ રેકોર્ડ](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/daanthi-vardaan-e1536230249915.jpg)
રાજકોટમાં સવંત્સરીએ ઓછામાં ઓછા 11000 અને વધુમાં વધુ 15000 જૈન શ્રાાવકો એક સાથે સમૂહ પ્રતિક્રમણ કરે તે અંગેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાય તે માટે તૈયારી શરૂ કરાઇ છે. પર્યૂષણ આરાધના માટે 150 ફૂટ રિંગ રોડ પર ડુંગર દરબાર નામનો ખાસ ડોમ ઉભો કરાયો છે.
![કાલથી પર્યૂષણ : રાજકોટમાં સંવત્સરીએ જૈન સમાજ કરશે પ્રતિક્રમણનો વર્લ્ડ રેકોર્ડ 7 rajkot paryushan e1536230271743 કાલથી પર્યૂષણ : રાજકોટમાં સંવત્સરીએ જૈન સમાજ કરશે પ્રતિક્રમણનો વર્લ્ડ રેકોર્ડ](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/rajkot-paryushan-e1536230271743.jpg)
પર્યૂષણ પર્વ નિમિતે રાજકોટમાં જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાનથી વરદાન કાર્યક્રમમાં લોકો પોતાના ઉપયોગમાં ના લેવાતી વસ્તુઓનું દાન કરી શકે છે.