દેશભરમાં હાલ ભષ્ટાચાર વિરુધનુંં અભિયાન ચાલી રહ્યુંં હોય તેમ સરકાર દ્વારા અનેક ઉચ્ચ અધિકારીઓને પણ આકરાથી આકરા પગલાનો સામનો કરવો પડી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ મામલે પગલા ભરવામાં બીલકુલ અચકાતી ન હોવાનાં આંકડા સામે આવ્યા છે.
ગુજરાત સરકાર દ્રારા સરકારી અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ મળતાં સજાનું ફરમાન કરવામા આવ્યુંં હતુ. સરકારને વર્ગ 1ના અધિકારીઓ વિરુદ્ધ કુલ 72 ફરિયાદ મળી, તેમાથી 3 અધિકારીઓને મોટી સજા કરાઇ. તો તકેદારી આયોગ દ્વારા વર્ગ 1ના 41 અધિકારીઓને પેંશન કાપની સજા ફરમાવવામા આવી છે. વર્ગ 1ના 28 અધિકારીઓને ગૌણ સજા કરવામાં આવી છે. અને
સાથે સાથે વર્ગ 2ના 63 અધિકારીઓ સામે ફરિયાદ મળી હતી, જેમા 63 પૈકી વર્ગ 2ના 4 અધિકારીઓને મોટી સજા કરાઇ છે. જ્યારે
વર્ગ 2ના 29 અધિકારીઓને પેંશનકાપની સજા કરાઇ છે. તો વર્ગ 2ના 30 અધિકારીઓને ગૌણ સજા કરવામા આવી હતી. તકેદારી આયોગ દ્વારા સજા વર્ગ 3ના 5 અધિકારીઓને મોટી સજા કરાઈ છે તો વર્ગ 3ના 16 અધિકારીઓને પેંશનકાપની સજા ફટકારવામાં આવી છે
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.