Terrorist Attack/ સોમાલિયાના મોગાદિશુમાં આત્મઘાતી હુમલો, 7 ના મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક આઈસક્રીમ શોપ પર એક આત્મઘાતી હુમલો થયો. જેમાં 7 લોકોના મોત થયા છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલાની જવાબદારી…

Top Stories World
a 237 સોમાલિયાના મોગાદિશુમાં આત્મઘાતી હુમલો, 7 ના મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક આઈસક્રીમ શોપ પર એક આત્મઘાતી હુમલો થયો. જેમાં 7 લોકોના મોત થયા છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલાની જવાબદારી અલકાયદા સાથે જોડાયેલ ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે લીધી છે

આપને જણાવી દઇએ કે આ હુમલો અમેરિકાના કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરની મુલાકાતના કલાકો પછી જ કરવામાં આવ્યો હતો. તે સમયે ક્રિસ્ટોફર મિલર અમેરિકન રાજદૂત અને લશ્કરી કર્મચારીઓને મળવા મોગાદિશુ પહોંચ્યા હતા. આ હુમલામાં માર્યા ગયેલા 7 ઉપરાંત 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

નોંધપાત્ર વાત એ છે કે આ હુમલા માટે જવાબદાર સંગઠન અલ-શબાબ અગાઉ પણ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો કરતો રહ્યો છે. આ સંગઠને ઓગસ્ટમાં મોગાદિશુ પર પણ હુમલો કર્યો હતો. ત્યારે એક હોટલને તેના આતંકીઓએ નિશાન બનાવ્યું હતું.

આ હુમલામાં કુલ 16 લોકો માર્યા ગયા હતા. અહીંની સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને આતંકવાદીઓ સામે લડત આપી હતી અને લગભગ 5 કલાક પછી હોટલને બચાવી લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…