સુરત,
સુરતના અડાજણના કેબલ બ્રિજના છેડે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી હતી. મેનેજમેન્ટ વગરનું ટ્રાફિક વિભાગનું કામથી વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
ચારેય બાજુ ટ્રાફિક જામથી વાહન ચાલકો અકળાયા હતા. ટ્રાફિક કંટ્રોલ ન થતા ટ્રાફિક કર્મીનુ માનસિક સંતુલન ખોરવાયુ હતુ જેના કારણે વાહન ચાલકો સામે જીભાજોડી થઇ હતી. રાજકુમાર તિવારીનું ઉદ્ધતાઈભર્યું વર્તન સામે આવ્યુ. વાહન ચાલકે ટ્રાફિક ખુલવા અંગે પુછવા જતા ટ્રાફિક કર્મી અકડાયો હતો.