સુરત જિલ્લા ના પલસાણા તાલુકાના બારાસડી ગામ થી જતપોર જતા રસ્તા પર એક ખેતરમાંથી અજાણ્યા 25 વર્ષીય યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. યુવકની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યા બાદ પુરાવા નાબૂદ કરવાના ઇરાદે લાશ સળગાવી દેવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
સુરત જિલ્લા માં હત્યાનો સિલ સિલો જાણે યથાવત રહ્યો હોય તેમ પલસાણા તાલુકાના બારાસડીથી જતપોર જતા રસ્તા પર એક શેરડી ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવકની લાશને શેરડીની પતારી નાંખી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. યુવકને માથામાં ઇજા હોય બોથડ પદાર્થ વડે મારી તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરાય રહી છે. યુવકની અન્ય જગ્યાએ હત્યા કર્યા બાદ તેની લાશને સગેવગે કરવા કોઈ વાહનમાં અહીં લાવવામાં આવ્યા બાદ તેનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ પોલીસ દ્વારા અનુમાન છે.
ઘટના ની જાણ થતાં પલસાણા પોલીસ સાથે બારડોલી ડીવાયએસપી રૂપલ સોલંકી તેમજ જિલ્લા એલસીબી , એસઓજી ના પીલીસ પણ સ્થળ પર પોહચી ગયા હતા. યુવક ની ઓળખ તો ના થઇ પણ યુવાન ના હાથ માં છુંદણું કોતરવેલું હોવાનું જણાયું હતું.
જો કે હજી સુધી મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ માટે હત્યાનો ભેદ ઉકેલવો મુશ્કેલ બની ગયુ છે. હાલ તો પલસાણા પોલીસે યુવક ની હત્યા અંગે ગુનો દાખલ કરી યુવકની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ આદરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.