સુરેન્દ્રનગર સૂરસાગર ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત દૂધના ભાવમાં પ્રતિ કીલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. સુરેન્દ્રનગર સૂરસાગર ડેરી દ્વારા એક મહિનામાં બીજી વખત કરાયો ભાવ વધારો કરાતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે.
આ પણ વાંચો : ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips
સુરેન્દ્રનગરની સૂરસાગર ડેરીમાં જીલ્લામાં 729 દૂધ મંડળીઓમાંથી 5.69 લાખ લીટર દૂધ સંપાદન થાય છે. ત્યારે સૂરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ જીલ્લાના પશુપાલકોની પડખે આવ્યા છે. સુરેન્દ્રનગર સૂરસાગર ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત દૂધના ભાવમાં પ્રતિ કીલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. સુરેન્દ્રનગર સૂરસાગર ડેરી દ્વારા એક મહિનામાં બીજી વખત કરાયો ભાવ વધારો કરાતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે. સુરેન્દ્રનગર સૂરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડે જણાવ્યું કે, આ ભાવ 11 ઓગસ્ટથી જ અમલમાં આવશે.
આ પણ વાંચો :વર્કિંગ વુમન માટે સંતાનોનો ઉછેર પ્રથમ પ્રાથમિકતા
હાલમાં સુરેન્દ્રનગર જીલ્લામાં 729 દૂધ મંડળીઓમાંથી 5.69 લાખ લીટર સંપાદન થાય છે. તેમજ દૈનિક 1.5 લાખ લીટર દુધ અને 50 હજાર લીટર છાશનું અમુલ બ્રાન્ડનું પેકીંગ કરીને બજારમાં વેચાણ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર સૂરસાગર ડેરી દ્વારા એક મહિનામાં દૂધના ભાવમાં બીજી વખત ભાવ વધારો કરાતા સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે. બીજી બાજુ સુરેન્દ્રનગર સૂરસાગર ડેરી દ્વારા કુલ 152 પશુપાલકોને રૂ. 68.40 લાખની મરણોત્તર સહાય પણ ચુકવાવામાં આવી છે.