વાંકાનેર/ ભાજપનો આંતરિક કલહ સપાટીએ, પાલિકાના ભાજપના ૧૬ સભ્યોએ પક્ષમાંથી મૂક્યા રાજીનામાં

ભાજપનો આંતરિક કલહ સપાટીએ, પાલિકાના ભાજપના ૧૬ સભ્યોએ પક્ષમાંથી મૂક્યા રાજીનામાં

Top Stories Gujarat Trending
strome 1 11 ભાજપનો આંતરિક કલહ સપાટીએ, પાલિકાના ભાજપના ૧૬ સભ્યોએ પક્ષમાંથી મૂક્યા રાજીનામાં

શિસ્તબદ્ધ કહેવાતી ભાજપનો આંતરિક કલહ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પપન સપાટી ઉપર આવી રહ્યો છે. મનપા, જીલ્લા, તાલુકા નાપમાં ટીકીટ વહેચની સમયે ઉદભવેલા મનભેદ બાદ પણ ભવ્ય સફળતા સાથે ઉભરીને આવેલા ભાજપનો આંતરિક કલહ હજુશાંત નથી થયો. જીત બાદ પણ અંદરોઅંદર પ્રમુખ પદ માટે હુંસાતુંસી જોવા મળી રહી છે.

મોરબી જીલ્લામાં વાંકાનેર પાલિકાના ભાજપના ૧૬ સભ્યોએ પક્ષમાથી મૂક્યા રાજીનામાં મુક્યા  છે. જેને પગલે મોરબી ભાજપમાં ભારે હડકંપ સર્જાયો છે. સભ્યો દ્વારા નક્કી કરાયેલ પ્રમુખ-ઉપપ્રમુખના નામને ચોકડી મરવામાં આવતા ચૂંટાયેલા સભ્યો નારાજ  થયા છે. અને પક્ષ માંથી રાજીનામું ધરી દીધું છે.

જે સભ્યની પ્રમુખ-ઉપપ્રમુખ માટે દાવેદારી નથી તેના નામના મેન્ડેડ આવે તેવા સંકેત  સર્જાતા ભાજપના ચુંટાયેલા ૨૪ માંથી ૧૬ સભ્યોએ  ભાજપ પક્ષમાથી રાજીનામાં  મ્ક્યા છે. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને તમામ સભ્યોએ રાજીનામાં સુપ્રત કર્યા છે. આવતીકાલે પાલીકમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં ભાજપની સામે બળવાના એંધાણ હાલ તો વર્તાઈ રહ્યા છે.