Business News: ઓનલાઈન વેચાતી કોઈપણ વસ્તુની જેમ તહેવારો દરમિયાન પણ ખાદ્ય ચીજો પર ડિસ્કાઉન્ટ હોય છે. આ વખતે નવરાત્રીના અવસર પર ફૂડ ડિલિવરી એપ સ્વિગીએ પણ ઉપવાસની થાળી પર ડિસ્કાઉન્ટ રાખ્યું છે. હવે ચૈત્રી નવરાત્રીના નવ દિવસમાં ઈદનો તહેવાર આવી ગયો હોવાથી તેના માટે પણ આકર્ષક ઑફર્સ ચાલી રહી છે.
Food knows no religion 👀❤️ @Swiggy pic.twitter.com/q9muaGQyQX
— Udita Pal 🧂 (@i_Udita) April 11, 2024
તાજેતરમાં ઉદિતા પાલ નામની મહિલાએ સ્વિગીમાંથી નવરાત્રિની ઉપવાસની થાળીનો ઓર્ડર આપ્યો, ત્યારે તેને એવી ઓફર મળી કે તેણે તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો. વાસ્તવમાં, આ નવરાત્રિ થાળી પર ઈદનું ડિસ્કાઉન્ટ હતું. તેના કેપ્શનમાં ઉદિતાએ લખ્યું- ફૂડનો કોઈ ધર્મ નથી હોતો.
ઉદિતાએ થોડા કલાકો પહેલા જ આ પોસ્ટ કરી હતી અને અત્યાર સુધીમાં તેને 14 હજાર વ્યુઝ અને 1000 થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો આના પર ઘણી શાનદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે દરેક ધર્મના લોકોનું લોહી લાલ હોય છે. સ્વિગીએ સૌના દિલ જીતી લીધા. બીજાએ લખ્યું – આ આપણા દેશની વિશેષતા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સોનાનાં ભાવ વધારો, 80 હજારને આંબી જવાની શક્યતા
આ પણ વાંચો:રોકેટ ગતિએ સોના અને ચાંદીના ભાવમાં વધારો, ભાવ વધારાનું આ છે કારણ
આ પણ વાંચો:પ્રિલથી લાગુ થયો PF સંબંધિત નવો નિયમ, જાણો શું છે મહત્વપૂર્ણ ફેરફાર