Kashmiri Pandit/ કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગઃ કાશ્મીરી પંડિતની હત્યા કરતા આતંકવાદીઓ

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

Top Stories India
Kashmir pandit કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગઃ કાશ્મીરી પંડિતની હત્યા કરતા આતંકવાદીઓ
  • શોપિયામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની કરી હત્યા
  • કાશ્મીરી આતંકવાદીઓ કાશ્મીરી પંડિતોને ખીણમાં ઇચ્છતા નથી

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકીએ ગોળી મારતા કાશ્મીરી પંડિત ઘાયલ થયા હતા જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જો કે હજુ સુધી કોઈ સંગઠને તેની જવાબદારી સ્વીકારી નથી. એટલા માટે પોલીસને પણ આ બાબતે જાણકારી આપી નથી કે ક્યા સંગઠને ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.

જમ્મુ કાશ્મીર પોલીસે બતાવ્યું કે આતંકવાદીઓ એક લઘુમતી નાગરિકની ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના એવા સમયે બની જ્યારે તે શોપિયાંના ચૌધરી ગુંડમાં બગીચાનું કામ કરવા માટે જઈ રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે શોપિયાંના તે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી છે. આતંકવાદીઓએ કાશ્મીરના પંડિત પુરણ કૃષ્ણ ભટની ગોળી મારીને હત્યા કરી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

આ વર્ષના પ્રારંભથી જ ટાર્ગેટ કિલિંગના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આતંકવાદીઓ લઘુમતીઓ, પ્રવાસી મજૂરો અને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. મે મહિનામાં આતંકવાદીઓએ બડગામના ચદૂરા વિસ્તારમાં તાલુકા અધિકારીની ઓફિસરમાં પ્રવેશીને કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા કરી નાખી હતી. તેના પછી સુનીલ કુમારની હત્યાએ ખીણમાં રહેતા લઘુમતીઓને હચમાવી નાખ્યા હતા.

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ કાશ્મીરી પંડિતોને ખીણ છોડીને સલામત સ્થળે જવા જણાવ્યું છે. સમિતિના વડા સંજય ટિક્કુએ સ્પષ્ટ જણાવ્યું છે કે અન્ય કાશ્મીરી પંડિતની હત્યા કરીને આતંકવાદીઓએ સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ ઘાટીમાં રહેલા તમામ કાશ્મીરી પંડિતોને મારી નાખશે. તેમણે તમામ કાશ્મીરી પંડિતોને ઘાટી છોડી જમ્મુ અને દિલ્હી જવા કહ્યું છે.