ઈંગ્લેન્ડ પ્રવાસ પર યોજાનારી T20 અને ODI મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના પોઝિટિવને કારણે ટેસ્ટ મેચમાંથી બહાર રહેલો રોહિત શર્મા બંને સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
મોટી વાત એ છે કે વિરાટ કોહલી, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં નહીં રમે. તેમને આરામ આપવામાં આવ્યો છે.
એક ટેસ્ટ બાદ ટી-20 મેચોની સિરીઝ રમાશે
હકીકતમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પાંચ દિવસ સુધી ચાલશે, જે 5 જુલાઈએ સમાપ્ત થશે. તેના એક દિવસ પછી એટલે કે 7મી જુલાઈએ ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. આવી સ્થિતિમાં કોહલી, પંત, બુમરાહ અને શ્રેયસ પાંચ દિવસ સુધી ટેસ્ટ રમીને થાકી જશે. જેના કારણે તેમને આરામ આપવામાં આવ્યો છે.
પ્રથમ T20 મેચ માટે ભારતીય ટીમ
પ્રથમ T20 મેચ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ ખાન, અવેશ પટેલ. અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
NEWS 🚨 – #TeamIndia’s squad for T20I & ODI series against England announced.
More details 👇 #ENGvIND https://t.co/ii121ge0jY
— BCCI (@BCCI) June 30, 2022
બીજી-ત્રીજી T20 મેચ માટે ભારતીય ટીમ
જયારે બીજી-ત્રીજી T20 મેચ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવેશ કુમાર, અવિનેશ ખાન. હર્ષલ પટેલ અને ઉમરાન મલિકની પસંદગી કરવામાં આવી છે.
વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
વનડે શ્રેણીમાં રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શિખર ધવન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, પ્રણંદ કૃષ્ણ, મોહમ્મદ શમી, શમી. અને અર્શદીપ સિંહ રમતા જોવા મળશે.