જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, જેના વિશે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાનમાં સુધારો થતાં રવિવારે બપોરે પહેલગામ બાજુથી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ હતી. અમરનાથ યાત્રાને પંજતરણી અને શેષનાગ બેઝ કેમ્પથી ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે હવામાનમાં સુધારો થયા બાદ વહીવટીતંત્રે યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ગુફા મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા
તેમણે કહ્યું કે અમરનાથ ગુફાની આસપાસ આકાશ સ્વચ્છ થયા બાદ અધિકારીઓએ ગુફા મંદિરના દરવાજા ખોલી દીધા અને ફસાયેલા શ્રદ્ધાળુઓને દક્ષિણ કાશ્મીરના હિમાલયમાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગની મુલાકાત લેવાની મંજૂરી આપી. પંજતરની બેઝ કેમ્પના એક વરિષ્ઠ અધિકારીએ ફોન પર જણાવ્યું કે જે તીર્થયાત્રીઓ પહેલાથી જ ‘દર્શન’ કરી ચૂક્યા છે તેમને બાલતાલ બેઝ કેમ્પમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે.
યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયા હતા
અમરનાથ યાત્રા અગાઉ અવિરત વરસાદ અને ભૂસ્ખલનને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે હજારો શ્રદ્ધાળુઓ જમ્મુના વિવિધ સ્થળોએ અને ગુફા મંદિરના માર્ગ પર ફસાયેલા હતા. ભારે વરસાદને કારણે 6 હજાર અમરનાથ યાત્રીઓ રામબનમાં અટવાયા હતા. ખરાબ હવામાનને કારણે બીજા દિવસે પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર યાત્રા સ્થગિત રહી હતી. તમને જણાવી દઈએ કે સેનાએ અનંતનાગ જિલ્લાના કાઝીગુંડમાં પોતાના કેમ્પમાં ભારે વરસાદને કારણે ઘાટીમાં ફસાયેલા 700થી વધુ અમરનાથ યાત્રીઓને આશ્રય આપ્યો છે.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી 2024/ 2024 પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક! આ 10 દિગ્ગજ નેતાઓનો રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો
આ પણ વાંચો:Heavy Rain/ ઉત્તર ભારતમાં વરસાદનો ત્રાસ, અનેકના મોત, રવિવારે એલર્ટ જારી