- રાજ્યસભાના બાય ઇલેક્શનનું એલાન
- 1 માર્ચે યોજાશે રાજ્યસભાની પેટાચૂંટણી
- અહેમદ પટેલ- અભય ભારદ્વાજના નિધનને પગલે ચૂંટણી
- ખાલી બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી
- બંને બેઠકોની યોજાશે ચૂંટણી
રાજ્યસભાનાં બાય ઇલેક્શનનું એલાન કરવાામાં આવ્યુ છે. 1 માર્ચનાં રોજ રાજ્યસભાની પેટાચૂંટણી યોજાશે. જણાવી દઇએ કે, રાજ્યમાં 2 સાંસદ (અહેમદ પટેલ અને અભય ભારદ્વાજ) નાં નિધનથી બેઠક ખાલી પડી છે.
રાજ્યમાં ચૂંટણીનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં જ્યા કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સેન્ટ્રલ ઇલેક્શન કમિશને ગુજરાતની 2 બેઠકો જે રાજ્યસભાની ચૂંટણી થવાની હતી, તેની ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યુ છે. 1 માર્ચનાં રોજ ગુજરાતની રાજ્યસભાની 2 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનાં નિધનનાં પગલે બન્ને બેઠકો ખાલી પડી હતી. આ બન્ને બેઠકોની ચૂંટણી એકસાથે યોજાશે કે અલગ-અલગ યોજાશે તેવી ઘણી અટકળો ચાલતી હતી, જેનો આજે અંત આવ્યો છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશને તારીખનું એલાન કર્યુ છે તે મુજબ 1 માર્ચે આ બન્ને બેઠકોની ચૂંટણી યોજાશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…