Not Set/ સુરતના બિલ્ડરે રૂ. 11 લાખમાં ખરીદ્યો તૈમૂર નામનો બકરો, જાણો શું છે તેની ખાસિયત

સુરતના ઈતિહાસમાં પહેલીવાર એક બકરો 11 લાખ રૂપિયામાં વેચાયો છે, જેને સુરતના જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતીએ ખરીદ્યો હતો.

Gujarat Surat Trending
A 317 સુરતના બિલ્ડરે રૂ. 11 લાખમાં ખરીદ્યો તૈમૂર નામનો બકરો, જાણો શું છે તેની ખાસિયત

ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇદના દિવસે આપવામાં આવતા બલિદાનને જોતા બકરાના ભાવ બજારમાં આસમાન ફેલાયા છે. ઓનલાઇન માર્કેટમાં પણ બકરાઓ લાખો રૂપિયામાં વેચાઇ રહી છે. તો સુરતમાં પણ બકરી ઈદની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તમામ પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની અને સિરોઈ નસલના બકરાને મંડીમાંથી ઘણી ભારે કિંમતોમાં ખરીદવામાં આવી રહ્યા છે. તેમાં આ વખતે એક પંજાબી નસલનો બકરો ચર્ચા વિષય બન્યો છે.

આપને જણાવી દઈએ કે,સુરતના ઈતિહાસમાં પહેલીવાર એક બકરો 11 લાખ રૂપિયામાં વેચાયો છે, જેને સુરતના જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતીએ ખરીદ્યો હતો. ઝબલભાઈએ જણાવ્યું કે તેમનો આ બકરો 192 કિલોનો છે અને તેની ઉંચાઈ 46 ઈંચની છે. જેને ઈદના દિવસે કુરબાની આપવામાં આવશે.

A 318 સુરતના બિલ્ડરે રૂ. 11 લાખમાં ખરીદ્યો તૈમૂર નામનો બકરો, જાણો શું છે તેની ખાસિયત

આ પણ વાંચો :મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ

બિલ્ડર ઝબલભાઈએ જણાવ્યું હતું કે,બકરાની ઉંમર હાલ અઢી વર્ષની છે. આઠ મહિનાથી આ બકરાનું પાલનપોષણ એક પશુપાલક કરતો હતો. જોકે બકરાને જોયા બાદ એને કોઈપણ કિંમતે લેવાની ઈચ્છા હતી. એટલે 11 લાખમાં ખરીદી કરી છે. આવા મારી પાસે બીજા 20 બકરા છે, જેની કુરબાની પણ ઇદના રોજ આપવામાં આવશે. તૈમુરને કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો તેમજ રોજ બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સાથે રોજ 4 લિટર દૂધ પિવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ કરાઈ છે. હાલ તૈમુર (બકરો)નું વજન 192 કિલો અને ઊંચાઈ 46 ઇંચ છે. આ બકરો પંજાબી નસલનો છે.

A 319 સુરતના બિલ્ડરે રૂ. 11 લાખમાં ખરીદ્યો તૈમૂર નામનો બકરો, જાણો શું છે તેની ખાસિયત

આ બહુમૂલ્ય બકરાની દેખરેખ અને કાળજી પણ સારી રીતે રાખવામાં આવી છે. આ બકરાની ઉંમર અઢી વર્ષ છે. લગભગ આઠ મહિના સુધી તેના માલિકે સારસંભાળ રાખી છે. તેની પાસેથી સુરતના બિલ્ડરે આ બકરો ખરીદ્યો છે. મહત્વનું છે કે, આ બકરાને ખાવામાં કાજુ, બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો અને મુરબ્બો આપવામાં આવે છે.

A 320 સુરતના બિલ્ડરે રૂ. 11 લાખમાં ખરીદ્યો તૈમૂર નામનો બકરો, જાણો શું છે તેની ખાસિયત

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટમાં વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે કોબ્રાની ઘુસણખોરી, પ્રવાસીઓ પરેશાન

એટલું જ નહીં આ બકરાના સ્વાસ્થ્યને લઈને પણ ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. દરરોજ ‘તૈમૂર’ નામના આ બકારને ચારેક લીટર દૂધ પણ પીવડાવવામાં આવે છે. સાથે જ એક કલાક સુધી તેની રોજ માલિશ પણ કરવામાં આવે છે. અઠવાડિયામાં એક વાર તેને ચાલવા માટે પણ લઈ જવામાં આવે છે. ત્યારે સુરતના બિલ્ડરે ખરીદેલો આ બકરો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બકરા ઈદના દિવસે આ કિંમતી ‘તૈમૂર’ બકરાની કુરબાની આપવામાં આવશે.

આ પણ વાંચો :આ તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી