IPL mini Auction Updates: IPLની હરાજી સમાપ્ત થઈ ગઈ છે અને આવા ઘણા ચહેરાઓ જેમને કરોડોમાં વેચવાની અટકળો કરવામાં આવી રહી હતી, તેમને સ્થાન આપવામાં આવ્યું નથી. તો ટીમોએ કેટલાક એવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે, જેમની કારકિર્દી હવે લગભગ સમાપ્ત માનવામાં આવે છે. 4 એવા ભારતીય ખેલાડીઓ છે, જેમની બહુ ચર્ચા નથી થઈ રહી પરંતુ અલગ-અલગ ટીમોએ તેમને સ્થાન આપ્યું છે. આ ક્રિકેટરોની પ્રતિષ્ઠા તો બચી જ છે, પરંતુ જે ફ્રેન્ચાઈઝી ટીમોના યુવા ખેલાડીઓએ આ ખેલાડીઓને તક આપી છે, તેમના અનુભવનો લાભ ચોક્કસ મળશે. આવો જાણીએ એવા કયા 5 ભારતીય ખેલાડીઓ છે જેમની કારકિર્દી બચી ગઈ હતી…
અમિત મિશ્રા (Amit Mishra)
ભારતીય લેગ-સ્પિનર અમિત મિશ્રાની ક્રિકેટ કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે કારણ કે તે ન તો ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે કે ન તો તેને ODI કે T20માં સ્થાન મળી રહ્યું. આવી સ્થિતિમાં તેની IPL કારકિર્દી પણ જોખમમાં હતી પરંતુ લખનૌ જાયન્ટ્સે અમિત મિશ્રાને માત્ર 50 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.
ઈન્શાંત શર્મા (Ishant Sharma)
IPLની 93 મેચમાં 72 વિકેટ લેનાર ઈશાંત શર્માએ 2021માં તેની છેલ્લી IPL મેચ રમી હતી. તે ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો છે પરંતુ તેને તક નથી મળી રહી, તેથી એવું માનવામાં આવતું હતું કે ઈશાંતની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. પરંતુ દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીને 50 લાખમાં પોતાની સાથે જોડ્યો છે.
અજિંક્ય રહાણે (Ajinkya Rahane)
ભારતીય ટીમના ટેસ્ટ ઓપનર અજિંક્ય રહાણે માટે છેલ્લી સિઝન ઘણી ખરાબ રહી હતી અને તે 7 મેચમાં માત્ર 133 રન જ બનાવી શક્યો હતો. આ જ કારણ હતું કે કોલકાતાએ તેને છોડી દીધો હતો. હવે રહાણેની ડૂબતી કારકિર્દીને ચેન્નાઈ સુપર કિંગ્સે ટેકો આપ્યો છે અને તેને માત્ર 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.
પિયુષ ચાવલા (Piyush Chavla)
યુપીના રહેવાસી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ લેગ સ્પિનર પીયૂષ ચાવલા છેલ્લી સિઝનમાં એક પણ મેચ રમી શક્યો નહતો, જેના કારણે તેની કરિયર ખતમ થઈ જવાની ચર્ચા હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે પીયૂષ પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને 50 લાખમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની કારકિર્દી માટે આ ટર્નિંગ પોઈન્ટ છે કારણ કે ઉંમર પણ વધારે છે.
મનીષ પાંડે (Manish Pandey)
લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા મનીષ પાંડેની ક્રિકેટ કારકિર્દી અને IPL કરિયર પણ ખતમ થવા જઈ રહી હતી, પરંતુ તાજેતરમાં રમાયેલી રોડ સેફ્ટી સિરીઝમાં પાંડેએ સચિનના નેતૃત્વમાં બેટિંગ કરી હતી, જે બાદ તેને ખરીદવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ દ્વારા 2.4 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Shrikrishnajanmbhumi/શ્રીકૃષ્ણજન્મભૂમિઃ વિવાદિત સ્થળનો 20 જાન્યુઆરી સુધી સર્વે કરવાનો આદેશ