Not Set/ દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ

આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં કોરોનાની સંખ્યા વધીને 18.1 કરોડ થઈ ગઈ છે.

Top Stories Trending
11 30 દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ

આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં કોરોનાની સંખ્યા વધીને 18.1 કરોડ થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી મૃત્યુઆંક વધીને 39.2 લાખ થઈ ગયો છે.

11 32 દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ

મોટું નુકસાન / અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 મહિના માટે રહેશે બંધ, પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન

દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

સોમવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલનાં વૈશ્વિક કોરોનાવાયરસ કેસ અને મૃત્યુઆંક અનુક્રમે વધીને 18,10,43,626 અને 39,22,071 પર પહોંચી ગયા છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અનુસાર, દુનિયાનાં સૌથી વધરે કેસ અને મોતની સંખ્યા અનુક્રમે- 3,36,24,871 અને 6,03,966 ની સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સંક્રમણનાં મામલે ભારત 3,02,33,183 કેસની સાથે બીજા ક્રમે છે. વળી 30 લાખથી વધુ કેસોવાળા અન્ય સૌથી ખરાબ દેશ બ્રાઝિલ (18,420,598), ફ્રાંસ (5,831,972), તુર્કી (54,09,027), રશિયા (53,87,486), યુકે (47,48,644), આર્જેન્ટિના (44,05,247), ઇટાલી (42,58,069), કોલમ્બિયા (41,58,716) છે, સ્પેન (37,82,463), જર્મની (37,34,489) અને ઇરાન (31,67,741) છે. વળી જો મોતની સંખ્યાની વાત કરીએ તો બ્રાઝિલ 5,13,474 સાથે બીજા ક્રમે છે. ભારત (3,95,751), મેક્સિકો (2,32,564), પેરુ (1,91,584), રશિયા (1,31,070), યુકે (1,28,364), ઇટાલી (1,27,472), ફ્રાંસ (1,11,130) અને કોલમ્બિયા (1,04,678) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

એર સ્ટ્રાઈક / ડ્રોન હુમલાનાં જવાબમાં અમેરિકાએ સીરિયા-ઇરાક બોર્ડર પાસે કર્યુ એર સ્ટ્રાઇક

દેશમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

11 31 દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર તાાજેતરમાં શાંત થઈ ગઈ છે, પરંતુ મૃત્યુઆંક અટક્યો નથી. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19 નાં કારણે 979 લોકોનાં મોત નીપજ્યાં છે અને 46,148 નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,02,79,331 થઇ ગઇ છે અને મૃત્યુઆંક 3,96,730 પર પહોંચી ગયો છે. કોરોનાથી ઠીક થઇ રહેલા લોકોનો દર વધીને 96.80 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.94 ટકા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 58,578 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેનાથી અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,93,09,607 પર પહોંચી ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 5,72,994 છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 32,36,63,297 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 17,21,268 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

Footer દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ