DGP ordered/ ઉંઢેલામાં પોલીસકર્મીઓએ જાહેરમાં આરોપીઓને મારવાના મુદ્દે DGPએ આપ્યા તપાસના આદેશ

આઠમા નોરતે ગરબામાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપીને માર માર્યો હતો અને ત્યાર બાદ માફી પણ મંગાવવામાં આવી હતી

Top Stories Gujarat
7 7 ઉંઢેલામાં પોલીસકર્મીઓએ જાહેરમાં આરોપીઓને મારવાના મુદ્દે DGPએ આપ્યા તપાસના આદેશ

આઠમા નોરતે ગરબામાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપીને માર માર્યો હતો અને ત્યાર બાદ માફી પણ મંગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી.આ અંગે પોલીસ મહાનિર્દેશક  આશિષ ભાટિયાએ કહ્યું કે અમે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. આ કેસની તપાસ કપડવંજ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકીએ હાથ ધરી છે

ઉલ્લેખનીય છે કે     ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ઉંઢેલા ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કેટલાક તોફાનીઓને જાહેરમાં ફટકાર્યા હતા અને માફી મગાવી હતી. આ મામલે હવે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટીના ગુજરાત કન્વીનર મુજાહીદ નફીસે એડવોકેટ યાજ્ઞિક મલિક દ્વારા ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી, ગુજરાતના DGP તથા ખેડાના SPને નોટિસ મોકલી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની માગણી કરી હતી

નવરાત્રીની આઠમે ઉંઢેલા ગામમાં ગરબા રમવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં કેટલાક લોકોએ ગરબા રમતી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો જેમાં 6 જેટલી મહિલાઓને ઈજા પહોંચી ગતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરીને તેમને વીજળીના થાંભલા સાથે બાંધીને લાકડીથી માર મારવામાં આવ્યો હતો તથા જાહેરમાં લોકો પાસે માફી માગવા મજબૂર કરાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.DGP આશિષ ભાટીયાએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ કપડવંજ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વી.એન સોલંકીને સોંપવામાં આવી છે. DGPએ કહ્યું હતું કે, અમે વીડિયોમાં દેખાતા પોલીકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે.