ગુજરાતભરમાં ખૂંટિયા દ્વારા કેટલાય લોકોને ઈજા પહોચાડવા મા આવે છે તો કેટલીય વાર લોકોની સાધન સામગ્રીઓ ને પણ નુકશાન કરવામાં આવે છે. ત્યારે ભાવનગર વડવા તલાવડી વિસ્તારમાં ભટકતો આખલો દુકાનમાં ઘૂસી જઈ રમખાણ મચાવતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં એક રખડતો અખલો સિલેટિયા સ્ક્રેપ નામની દુકાનમાં અચાનક ઘૂસી ગયો હતો. અને લોખંડના ઘોડામાં તેનું માથું ફસાઈ ગયું હતું. દુકાન માલિક દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા અડધો કલાક જેટલી મથામણ કરી હેમખેમ ખૂંટિયાને બહાર કાઢવામાં આવ્યો હતો.
અવાર નવાર બનતી આવી ઘટનાઓના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. અને તંત્ર પાસે પણ યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. જો ભવિષ્યમાં આવીજ ઘટનાઓ બનતી રહે અને કોઈ અનિચ્છનિય ઘટના બને લોકોના સાધન સામગ્રીનું નુકશાન થાય તો જવાબદાર કોણ?
કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વઘાણીના જણાવ્યા અનુસાર રખડતાં ધોરણ કારણે હાલ માં આજ બે વ્યક્તિના મોત થાય છે. જેમાં સિંધી સમાજના આગેવાન અને પૂર્વ શસ્યક પક્ષના ડએ. મેયરનું રખડતાં ધોરણ કારણે મોત થયું હતું. છતાં પણ શાસક પક્ષ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. શહેરના મુખ્ય માર્ગો ઉપર દરેક જગ્યા એ રખડતાં ઢોર નો ત્રાસ જોવા મળી રહ્યો છે.