Vaccinated/ ખુશખબર…ભારતને મળશે વધુ ચાર રસીઓ આ કંપનીએ કર્યો દાવો

દેશમાં એક તરફ વિશ્વના સૌથી મોટા રસીકરણનો આરંભ થઈ ચૂક્યો છે રવિવારે બીજા દિવસે પણ રસીકરણ કાર્યક્રમ ચાલુ રહ્યો તેની વચ્ચે દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટ

Top Stories India
1

દેશમાં એક તરફ વિશ્વના સૌથી મોટા રસીકરણનો આરંભ થઈ ચૂક્યો છે રવિવારે બીજા દિવસે પણ રસીકરણ કાર્યક્રમ ચાલુ રહ્યો તેની વચ્ચે દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારત અને અન્ય દેશો માટે તેની સંભવિત કોવિડ-19 વેક્સીન બનાવવા માટે નોવાવેક્સ ઇન્ક સાથે ભાગીદારી કરી છે.

All Set for Great Future: Dr Suresh Jadhav - eHealth Magazine

સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવના જણાવ્યા મુજબ, નોવલ કોરોના વાયરસ સામે કોવિશિલ્ડ ઉપરાંત વધુ ચાર રસીઓ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. જાધવે એક વેબિનાર દરમિયાન જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ નોવલ કોરોના વાયરસ સામે કુલ 5 વેક્સીન પર કામ કરી રહ્યું છે. જેમાં કોવિશિલ્ડ સામેલ છે.

Visit of foreign envoys to review COVID-19 vaccine development at Pune's  Serum Institute cancelled

USA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશી વ…

સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ટ્રાયલ પૂર્ણ કર્યા વગર ઉપયોગ કરવા પર સવાલ પણ ઉઠી રહ્યાં છે પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે ઈતિહાસમાં આ ઘટના પુનરાવર્તન થઇ રહ્યું છે, કોઈ પ્રથમ વખત થઈ રહ્યું નથી. આફ્રિકામાં 4 વર્ષ પહેલા ઈબોલાનો પ્રકોપ જ્યારે જોવા મળ્યો હતો, ત્યારે કેનેડિયન ફાર્માસ્યુટિકલ ફર્મ વેક્સીન તૈયાર કરી હતી. આ વેક્સીનને માત્ર પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો અને બીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. ટ્રાયલ પૂર્ણ થતા પહેલા જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઉપયોગની મંજૂરી આપી હતી અને ત્યારે વેક્સીને ઈબોલાને કાબૂ કરવામાં મદદ કરી હતી.

Serum Institute Of India Pvt. Ltd. Logo Organization Brand, PNG, 672x672px,  Logo, Area, Brand, India, Organization

Astro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત…

સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે જણાવ્યું હતું કેકોવિશિલ્ડના ઉપયોગ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે વિરોધી સંપૂર્ણ પરીક્ષણ વિના રસીના ઉપયોગ પર સવાલ ઉઠાવી રહ્યો છે, જેનો કંપનીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો. આ સાથે જH1N1 મહામારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુરેશ જાધવે કહ્યું કે, વર્ષ 2009માં પણ H1N1 મહામારીની રસી બનાવામાં આવી હતી. ક્લિનિકલ પરીક્ષણોના તમામ તબક્કા પૂરા કર્યા બાદ રસીના વિકાસ માટે અને વેક્સીન લગાવવા માટે એક વર્ષ કરતા વધારે સમય લાગ્યો હતો. પરંતુ તેનાથી વિપરીત, પશ્ચિમમાં દવા બનાવનારાઓએ 7 મહિનાથી ઓછા સમયમાં આવા ઉત્પાદનોનું માર્કેટિંગ શરૂ કર્યું હતું ત્યારે કોઈએ તેમની પૂછપરછ કરી ન હતી.

SOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…