યાત્રાધામ દ્વારકા માં ગોમતી ભાઈબીજ ના દિવસે ગોમતી સ્નાન માં યાત્રિકો નો ઘટાડો , ક્યાર નામના વાવાઝોડા ની તહેવારો પર મોટી અસર થઇ છે. દ્વારકા ના દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો. જેને કારણે ગોમતી ઘાટ પર ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરન્ટ ના કારણે ગોમતીઘાટ પર 5 ફૂટ સુધી ઉંચા મોજ ઉછળતા જોવા મળ્યા હતા. સતત ત્રીજા દિવસે દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો.
યાત્રાધામ દ્વારકા માં ભગવાન દ્વારકાધીશ ના દર્શન જેટલું જ મહત્વ ગોમતી સ્નાન નું પણ છે અને ખાસકરીને ભાઈ બીજા ના પવન પર્વ પર હજારો સંખ્યામાં ભક્તો ગોમતી સ્નાન કરવા દ્વારકા પહોંચતા હોઈ છે.
પરંતુ ક્યાર નામના વાવાઝોડા ની અસર ના કારણે લોકો દ્વારકામાં ગોમતી સ્નાન પર અસર જોવા મળી છે દર વર્ષે જે યાત્રિકો નો ધસારો જોવા મળતો હોય છે પરંતુ ચાલુ વર્ષે વાવાઝોડા ની અસર થી 70 ટકા થી પણ વધુ ની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે દ્વારકા માં દિવાળી ના જ તહેવાર પર વાવાઝોડા ની અસર ના કારણે લોકો તેમજ સ્થાનિકો ને હાલાકી નો સમની કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.