ટિપ્પણી/ કોરોનામાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિની પાછળ ડોક્ટરોની બેદરકારીને કારણ માની શકાય નહીંઃસુપ્રીમ કોર્ટ

કોરોના રોગચાળાના પીડિતોને લઘુત્તમ એક્સ-ગ્રેશિયા સહાયની ભલામણ કરવા માટે માર્ગદર્શિકા ઘડવાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની જવાબદારી છે.

Top Stories
suprim કોરોનામાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિની પાછળ ડોક્ટરોની બેદરકારીને કારણ માની શકાય નહીંઃસુપ્રીમ કોર્ટ

કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે મૌખિક રીતે કહ્યું હતું કે  કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા  તમામના પાછળ ડોકટરોની બેદરકારીને જવાબદારના ઠેરવી શકાય. ઉલ્લેખનીય છે કે, રોગચાળાના મુશ્કેલ સમયમાં ઓક્સિજન અને આવશ્યક આરોગ્ય સુવિધાઓના અભાવને કારણે જીવ ગુમાવનારાઓના સગાને વળતરની માંગ કરતી દીપક રાજ  સિંહે  વતી અરજી કરવામાં આવી હતી અને તે અરજી પર વિચાર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો છે.  જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે અરજદારને તેમના સૂચનો સાથે સક્ષમ અધિકારીઓનો સંપર્ક કરવા અને તેમની રજૂઆતો કરવા જણાવ્યું હતું.

ખંડપીઠના જણાવ્યા મુજબ,  કોરોનાની બીજી લહેર સમગ્ર દેશને અસર કરે છે અને આવી સ્થિતિમાં સારવારમાં બેદરકારી જેવી સામાન્ય ધારણા કરવી યોગ્ય નથી. , કારણ કે અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે થયેલા તમામ મૃત્યુ સારવારમાં બેદરકારીને કારણે થયા છે, કોર્ટ દ્વારા આવા અનુમાન લગાવી શકાય નહીં.

કોર્ટે કોરોના રોગચાળાને લગતા કેસોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેના પર જાતે જ ધ્યાન લેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે રોગચાળાને લગતા તમામ પાસાઓને જોવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. બેન્ચે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે 30 જૂનના રોજ કોરોનાથી પીડિત પરિવારોને વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. 30 જૂનના તેના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળાના પીડિતોને લઘુત્તમ એક્સ-ગ્રેશિયા સહાયની ભલામણ કરવા માટે માર્ગદર્શિકા ઘડવાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની જવાબદારી છે.

આ પછી, અરજી પર વિચાર કરવાની ના કહેતા કોર્ટે કહ્યું કે તે નિર્ણયમાં કોર્ટે માનવતાને ધ્યાનમાં લીધી છે અને બેદરકારીને કારણે નહીં. સરકાર હજુ સુધી નીતિ જાહેર કરી શકી નથી. જો તમને તે નીતિના અમલીકરણ અંગે કોઈ સૂચન હોય, તો તમે સક્ષમ અધિકારીનો સંપર્ક કરી શકો છો.