ભાજપને ફટકો/ વિચરતી વિમુક્ત જનજાતિ થશે ભાજપથી વિમુખ, કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે

ગુજરાતમાં વિચરતીજાતિને પ્રતિનિધિત્વ મળતું નથી. તો શિક્ષણ અને રોજગારમાં પણ વિચરતી જાતિને અન્યાય થઇ રહ્યો છે. ગુજરાતમાં વિચરતી 40 જાતિની વસતી 1.25 કરોડ છે. બપોરે 1.30 કલાકે કમલમ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાશે. 

Top Stories Gujarat
WhatsApp Image 2022 09 16 at 10.57.45 AM 1.jpg 1111 વિચરતી વિમુક્ત જનજાતિ થશે ભાજપથી વિમુખ, કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે
  • ગુજરાતમાં વિચરતી જનજાતિ (NT/DNT) થશે ભાજપથી વિમુખ
  • આજે કોબા-કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે
  • વિધાનસભા ચૂંટણી સમયે વિચરતી જનજાતિ (NT/DNT)ની ચીમકી
  • ગુજરાતમાં વિચરતી જનજાતિ (NT/DNT)ને પ્રતિનિધિત્વ મળતું નથી
  • શિક્ષણ અને રોજગારમાં પણ થાય છે અન્યાય
  • ગુજરાતમાં વિચરતીજનજાતિ (NT/DNT) 40 જાતિની વસતી 1.25 કરોડ
  • બપોરે 1.30 કલાકે કમલમ કાર્યાલય ખાતે કાર્યક્ર

ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈશકે છે. રાજ્યની વિચરતી વિમુક્ત જનજાતિ (NT/DNT)એ ભાજપથી વિમુખ થવાનો નિર્ણય લીધો છે. આજ રોજ કોબા કમલમ ખાતે ભાજપનો કેસરિયો ઉતારી ભાજપથી વિખુટા પાડવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે વિચરતી વિમુક્ત જનજાતિ (NT/DNT)એ ભાજપથી વિમુખ થવાની ચીમકી ઉચ્ચારી છે. જે  ભાજપને ભારે પડી શકે છે.

રાજ્યમાં 1.25 કરોડ જેટલી વિચારતી વિમુક્ત જનજાતિ (NT/DNT)ની વસ્તી છે. જુદી જુદી 40 જેટલી જાતિઓનો સમૂહ છે. જેને ભાજપથી વિમુખ થવા માટે નિર્ણય કર્યો છે. આજે બપોરે કમલમ ખાતે 1.25 કલાકે સમગ્ર જતી સમૂહ દ્વારા કેસરિયા ખેસ કાઢી ને ભાજપથી વિમુખ થવાની ચીમકી ઉચ્ચારી છે.

v1 2 વિચરતી વિમુક્ત જનજાતિ થશે ભાજપથી વિમુખ, કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે

તેમની ફરિયાદ છે કે ગુજરાતમાં વિચરતી વિમુક્ત જનજાતિ (NT/DNT)ને પ્રતિનિધિત્વ મળતું નથી. તો શિક્ષણ અને રોજગારમાં પણ વિચરતી જાતિને અન્યાય થઇ રહ્યો છે. ગુજરાતમાં વિચરતી 40 જાતિની વસતી 1.25 કરોડ છે. બપોરે 1.30 કલાકે કમલમ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાશે.

અત્રે નોધનીય છે કે રાજ્યમાં હાલમાં જુદાજુદા 17 જેટલા સંગઠનો દ્વારા પોતાની માંગણી ને લઇ ગાંધીનગર ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે વિચરતી વિમુક્ત જનજાતિ (NT/DNT) પણ ભાજપથી વિમુખ થવા જઈ રહી છે.

હાલમાં ભાજપમાં ભરતી મેળો  ચાલુ છે. અન્ય પક્ષોમાંથી નેતા અને કાર્યકર્તા ને ભાજપમાં જોડવા પ્રયાસ  ચાલી રહ્યા છે. ત્યારે એક ભાજપ સાથે જોડાયેલો આટલો મોટો સમુદાય  ચૂંટણી પહેલા વિમુખ થાય તો ભાજપ ને મોટો ફટકો પડી શકે તેમ  છે.

વિમુક્ત જનજાતિ (NT/DNT) કઈ જાતિઓનો સમાવેશ થાય છે …

vd1 1 વિચરતી વિમુક્ત જનજાતિ થશે ભાજપથી વિમુખ, કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે

vd12 1 વિચરતી વિમુક્ત જનજાતિ થશે ભાજપથી વિમુખ, કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે

પોલીસને ચીમકી/ જો આંગણવાડી બહેનેનો આંગળી અડાડી છે તો કાપી નાખીશું : ગેનીબેન ઠાકોરની પોલીસને ધમકી