વિપક્ષો માટે એક પછી એક ખરાબ સમાચારોની હાર માળા સર્જાઇ રહી છે. મોદી સુનામીમાં સુપડા સાફ થયા બાદ મનોમંથન કરવું તો કયા મુદ્દે કરવું અને હારનું ઠિકરુ ફોડવું તો કોના પર ફોડવું એ શોધતા પણ ખાસો સમય લાગવાનો છે તે વાત પાકી છે.
ઇલેક્શન કમિશન દ્રારા જ્યારે આજે રાષ્ટ્રપતિને તમામ હારેલા-જીતેલા ઉમેદવારોની યાદી સુપ્રત કરી દીધી છે. ત્યારે ગણનામાં EVM પણ સાચું સાબિત થયુ. EVM અને VVPAT સાથે સરખાવતા 100 ખરુ ઉતર્યું છે. સુપ્રિમ કોર્ટનાં આદેશ અનુસાર આ મતગણનામાં EVM અને VVPATની સરખામણી પણ કરવામાં આવી હતી. સરખામણીમાં સબ સલામત હે નીકળતા ECને હાસ કારો થયો છે. તો વિરોધપક્ષો જે કાગરોડ મચાવી રહ્યા હતા તેની સ્થિતિ વિચીત્ર થઇ છે.
આપને જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી પક્ષો દ્રારા EVMની વિશ્વસનીયતા પર પ્રશ્ન કરવામાં આવી રહ્યો હતો અને તેથી EVM અને VVPATની કાપલીને સરખાવવા માંગ કરવામાં આવી હતી. 21 જેટલા વિપક્ષોની આવી માંગ પર 8 એપ્રિલે સર્વોચ્ચ અદાલતે દરેક લોકસભાની બેઠક પર ઓછામાં ઓછા 5 મતદાન મથકોમાં EVM અને VVPATની કાપલી સરખાવવાનો આદેશ કર્યો હતો. SCનાં આદેશ પ્રમાણે તમામ વ્યાવસ્થા કરવામાં આવી અને આદેશોનું પાલન કરવામાં આવ્યું હતું
ચૂંટણીનાં પરિણામો પછી, ચૂંટણી પંચનાં આંકડાઓ જણાવે છે કે EVM અને VVPATની સરખામણી સંપૂર્ણ પણે મેળ ખાય છે અને વિપક્ષની તમામ શંકાઓ બસ શંકા જ સાબિત થઈ છે ECનાં અહેવાલ અને આંકડા મુજબ ચૂંટણીમાં 90 કરોડ મતદારોએ નવી સરકાર માટે મતદાન કર્યું હતું. આ વખત 17.3 લાખ VVPATનો ઉપયોગ કરયો હતો. 17.3 લાખ VVPATમાંથી 20,625 VVPATને EVM સાથે સરખાવવામાં આવ્યા હતા. અને તમામ EVM અને VVPATની સરખામણી સારી ઠરી છે. આપને જણાવી દઇએ કે ગઇ વખત ફક્ત 4125 VVPAT અને EVMની સરખામણી કરવામાં આવી હતી.
સરખામણી 100 ટકા ખરી સાબિત થતા. હવે વિરોધપક્ષોની સ્થિતિ સેપે છછુંદર ગળવા જેવી થઇ છે. અને હવે હારનું ઠિકરુ ફોડવું તો કોના પર ફોડવું તેની શોધ કરવામાં આવી રહી છે.