લગ્ન સમારોહમાં ફોટા પડાવવા સામાન્ય વાત છે. આજે તો વળી નવા-નવા અંદાજમાં ફોટા પડવાનની જાણે ફેશન આવી ગઇ છે. ઘણીવાર ફોટા પાડનાર કેમેરામેન એવી એવી સ્ટાઇલ કરવાનું કહે છે કે આસપાસનાં ઉભેલા લોકો પણ હસી જાય છે, તો ઘણીવાર ફોટા પડવવા સ્ટાઇલ બતાવતા કેમેરામેન દુલ્હનને અડીને સ્ટાઇલ આ કરો તે કરો બતાવે છે.
આવુ જ એક લગ્ન પ્રસંગમાં થઇ રહ્યુ હતુ. કેમેરામેન વરરાજા અને દુલ્હનનો ફોટો પાડી રહ્યો હતો, ત્યારે એવી ઘટના બની કે જેને જોઇને તમે તમારી હસીને રોકી નહી શકો. જણાવી દઇએ કે, દુલ્હન ફોટોશૂટ કરાવી રહી હતી. કેમેરામેન બ્રાઇડ ફોટોઝ લઈ રહ્યો હતો. સ્ટેજ પર, તે વારંવાર કન્યાને પોઝ આપવા માટે કહેતો હતો. તે દરમિયાન કંઈક એવું બન્યું કે નજીકમાં ઉભેલા વરરાજાએ ફોટોગ્રાફરને જોરથી થપ્પડ મારી દીધી. આ પછી, દુલ્હનને એટલું હસુ આવ્યુ કે તે હસતાં હસતાં સ્ટેજ પર બેસી ગઇ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો ટ્વિટર પર આ વીડિયો વિશે વાત કરી રહ્યા છે. ઘણા લોકો વરરાજાનાં થપ્પડ મારવાનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકોને ખુલ્લેમને હસતી દુલ્હનનો અંદાજ ગમી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વીડિયો તેવો જ છે જે સામાન્ય રીતે લગ્નનાં ફોટોશૂટમાં જોવા મળે છે. એક ફોટોગ્રાફર કન્યાનાં ફોટા લઈ રહ્યો છે. તે કન્યાનાં ગાલને સ્પર્શ કરી રહ્યો છે. અને પોઝ આપવાનું કહી રહ્યો છે. તેની બાજુમાં ઉભેલો વરરાજા આ બધું જોઈ રહ્યો છે. વરરાજાને ફોટોગ્રાફર દ્વારા વારંવાર દુલ્હનને સ્પર્શ કરવાનું પસંદ ન આવ્યુ અને વરરાજાએ ફોટોગ્રાફરને જોરદાર થપ્પડ મારી દીધો. આ પછી, કન્યાનો હસતો વીડિયો જોવા લાયક છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આને એક વાસ્તવિક વીડિયો કહી રહ્યાં છે. તો ઘણા લોકો કહે છે કે આ એક પ્રૈંક વીડિયો છે, જેમાં પાછળથી બધા હસતા જોવા મળે છે. મોટાભાગનાં લોકો કન્યાનાં હાસ્યની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચૂક્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…