ઘણી વાર લોકોના મનમાં આ પ્રશ્નો ઉદ્ભવે છે કે આવનારા દાયકાઓમાં વિશ્વની વસ્તી કેટલીક હશે ? કયા ધર્મના લોકો વધુ હશે અને કોની સંખ્યા ઘટી શકે છે. ખાસ કરીને જો આપણે ભારતીયોની વાત કરીએ તો હિંદુ ઘર્મ અને ઇસ્લામ ધર્મ વિશે ઘણી વાર અટકળો થાય છે. આવી બાબતો પર સંશોધન કરતી અમેરિકન સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર 2050 સુઘીમાં એટલે કે આગામી 25 વર્ષમાં હિંદુઓની વસ્તીમાં તીવ્ર વધારો થશે અને તેઓ નાસ્તિકોને પાછળ છોડીને ત્રીજા સ્થાને આવી જશે.
પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર 2010 સુધીમાં નાસ્તિકોની વસ્તી 1.1 અબજથી વધુ હતી.જ્યારે હિંદુઓની સંખ્યા 1 અજબથી થોડી વધુ હતી. જોકે હવે ડેટા અમુક અંશે બદલાઇ ગયો છે. હજુ પણ થોડા વર્ષો પહેલા બહાર પડેલા એહેવાલનું વિશ્લેષણ કરીએ તો એવો અંદાજ છે કે 2050 સુધીમાં વિશ્વમાં ત્રીજા સ્થાને આવશે, કેટલાક અંદાજો તો એવું પણ કહે છે કે હિંદુઓ વિશ્વમાં ત્રીજુ સ્થાન ધરાવે છે.
જો આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ધર્મ ઇસ્લામની વાત કરીએ તો 2050 સુધીમાં વિશ્વમાં તેની વસ્તી 2 અજબ 76 કરોડને વટાવી જશે. જો કે તેઓ હજી પણ ખિસ્તીઓથી થોડા પાછળ હશે. જે તે સમયમાં 2.9 બિલિયનની સંખ્યા સૌથી વધુ હોઇ શકે છે. પ્યુ રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ કહે છે. કે 2050 સુધીમાં વિશ્વની 31.4 ટકા વસ્તી ખિસ્તીઓની હશે. આ ટકાવારી હજુ પણ રહેશે.જ્યારે મુસ્લિમ વસ્તીની ટકાવારી 2010માં 23.2 ટકા હતી. જે ઝડપથી વધીને 2050 સુધીમાં 29.7 ટકા થઇ જશે.
આ રિપોર્ટમાં એક હકીકત નોંધવા જેવી છે કે 2050 સુધીમાં વિશ્વમાં બૌદ્ધૌની વસ્તી વધવાને બદલે થોડી ઓછી થઇ જશે. 2010માં વિશ્વમાં બૌદ્ધ ઘર્મને અનુસરતા લોકોનો હિસ્સો 7.1 ટકા હતો. જે ઘટીને 5.2 ટકા થશે. અત્યારે વિશ્વમાં યહુદીઓની સંખ્યા 0.02 ટકા છે, જે 2050 સુધી એટલી જ રહશે.
આ પણ વાંચો: BRS નેતા કે.કવિતાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં કરાઈ હતી ધરપકડ
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો
આ પણ વાંચોઃઅમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે