સમગ્ર રાજયમાં કોરોનની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી. જેમાં લખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે ફરી દિવાળી પછી કોરોનની ત્રીજી લહેર પિક પર જોવા મળી હતી. જેમાં સરકારે ચેતવણી રૂપે અગાઉ થીજ નિયન્ત્ર્ણો લાગવામાં આવ્યા હતા. જેમાં શાળાઓ બંધ કરાઇ હતી, જે હવે કોરોના કેસ ઘટતા. રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ આજે 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:pulwama attack / પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી, PM મોદીએ ટ્વીટ કરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ
પ્રિ-સ્કૂલમાં કે બાલ મંદિરમાં બાળકોને મોકલવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
આ પણ વાંચો:Video / બન્યા પછી આવું દેખાશે ભવ્ય અને દિવ્ય રામ મંદિર, ટ્રસ્ટે જાહેર કર્યો 3D વીડિયો
પ્રિ-સ્કૂલ ખોલવાની જાહેરાત કર્યા બાદ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ યુક્રેન કટોકટી મામલે કહ્યું કે, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ પર રાજ્ય સરકારની નજર છે. તેમજ તે માટે સરકાર મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો અને કોલેજો ચાલું છે. સ્કૂલો અને કોલેજોમાં SOP ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે બાલમંદિર એટલે કે પ્રિ-સ્કૂલ મુદ્દે પણ વાત કરી હતી.