સુપ્રીમ કોર્ટે મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના 2016ના નિર્ણયને પડકારતી બાબતો સહિત પાંચ મહત્વની બાબતોની સુનાવણી માટે અન્ય પાંચ જજોની બંધારણીય બેંચની રચના કરી હતી. હાલમાં ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની ત્રણ પાંચ જજોની બંધારણીય બેન્ચ વર્ષોથી પેન્ડિંગ રહેલા વિવિધ વિવાદાસ્પદ મુદ્દાઓની સુનાવણી કરી રહી છે.
ચોથી પાંચ જજોની બંધારણીય બેંચનું નેતૃત્વ જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને જસ્ટિસ બી.આર. ગવઇ, જસ્ટિસ એ.એસ. બોપન્ના, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી. નાગરથ્ના સામેલ થશે. આ બેન્ચ બુધવારથી પાંચ કેસની સુનાવણી કરશે. 8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને પડકારતી 58 અરજીઓની સુનાવણી શરૂ કરશે.
16 ડિસેમ્બર, 2016ના રોજ તત્કાલિન ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુર, જસ્ટિસ (નિવૃત્ત) એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદાની માન્યતાના પ્રશ્ન અને અન્ય પ્રશ્નોને સત્તાવાર ઘોષણા માટે મોટી પાંચ જજની બેન્ચને મોકલ્યા હતા. ખંડપીઠે પાંચ જજની બેંચ દ્વારા નિર્ણય લેવાના સંદર્ભ આદેશમાં વિવિધ પ્રશ્નો પણ ઘડ્યા હતા.