Covid-19/ ઓમિક્રોનનો ખતરો હજુ ટળ્યો નથી, નિયમોમાં છૂટછાટ આપવી ખોટું સાબિત થશે : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વારંવાર સલાહ આપી રહ્યું છે કે આ ખતરો હજુ ટળ્યો નથી. WHO એ ફરી એક વાર કહ્યું કે, વિશ્વનાં ઘણા દેશોમાં ઓમિક્રોનની લહેરની ટોચ આવવાની બાકી છે.

Top Stories World
11 18 ઓમિક્રોનનો ખતરો હજુ ટળ્યો નથી, નિયમોમાં છૂટછાટ આપવી ખોટું સાબિત થશે : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વારંવાર સલાહ આપી રહ્યું છે કે આ ખતરો હજુ ટળ્યો નથી. WHO એ ફરી એક વાર કહ્યું કે, વિશ્વનાં ઘણા દેશોમાં ઓમિક્રોનની લહેરની ટોચ આવવાની બાકી છે. આવી સ્થિતિમાં કોવિડ-19 પ્રતિબંધોમાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવશે. મંગળવારે કોવિડ-19 પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેકનિકલ લીડએ આવું સૂચન કર્યું હતું.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર SOG પોલિસનું સરપ્રાઇઝ ચેકીંગ /  ધ્રાંગધ્રા સબજેલમાં 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા કેદીઓની બેરેકમાંથી મળી આવ્યા

WHO અધિકારી મારિયા વેને કહ્યું કે, ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટની લહેરની ટોચ આવવાની બાકી છે. ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની સંવેદનશીલ વસ્તીને કોરોનાની રસી મળી નથી. અમે બધાને અપીલ કરીએ છીએ કે આવા સમયે તમામ પ્રતિબંધો એક સાથે હટાવવા ન જોઈએ. મારિયા વેન અનુસાર, અમે હંમેશા તમામ દેશોને ધીમે ધીમે કોરોના પ્રતિબંધો હળવા કરવાની અપીલ કરી છે. આ વાયરસ ખૂબ જ શક્તિશાળી છે. વળી, WHO સેક્રેટરી-જનરલનાં જણાવ્યા અનુસાર, કેટલાક દેશોમાં એવી ધારણા છે કે રસીકરણનાં સારા દર અને ઓમિક્રોનની ઓછી ઘાતકતાને કારણે ખતરો ટળી ગયો છે. આ પ્રકાર ચોક્કસપણે અત્યંત ચેપી છે પરંતુ વધુ ઘાતક નથી. તેથી આનાથી વધુ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ચેપ વધવાને કારણે મૃત્યુઆંક પણ વધી શકે છે. મારિયાએ કહ્યું કે, જો કે અમે એવું નથી કહી રહ્યા કે લોકડાઉન ફરીથી લાગુ કરવું જોઈએ. પરંતુ અમે તમામ દેશોને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના નાગરિકોને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવા કહે. રસીકરણ એ એકમાત્ર શસ્ત્ર નથી. તેમણે કહ્યું કે, આપણો વિચાર બિલકુલ ખોટો છે કે આપણે આ મહામારી સામેની લડાઈ જીતી લીધી છે.

આ પણ વાંચો – કિશન હત્યાકેસમાં સાધુ સંતોનો આક્રોશ /  મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી

WHO નાં ઈમરજન્સી ચીફ માઈક રેયને તમામ દેશોને સંબોધતા કહ્યું કે, દરેક દેશે તેની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ અને કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે જરૂરી પગલા લેવા જોઈએ. દેશની નકલ કરીને કોરોના નિયમોમાં છૂટછાટ આપવી ખોટું હશે.