BREAKING:
ફિલ્મ પદ્માવતીને લઈને વાદ વિવાદ સર્જાયા છે. જેનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. દેશના મોટા ભાગના રાજ્યો ફિલ્મ પદ્માવતીની રીલીઝને લઈને નામુકર કરી ગયા છે તો બીજી તરફ ગુજરાત પણ ફિલ્મ પદ્માવતી રીલીઝ નહિં થાય તેને લઈને જોડાયું છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં રીલીઝ નહીં થાય તે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહત્વનું છે કે ફિલ્મ પદ્માવતીને લઈને ઘણાં વિવાદો સર્જાયા છે, જેમાં હવે ગુજરાત પણ જોડાયું છે. સીમે રૂપાણીનું કહેવું છે કે આ ફિલ્મથી સામાન્ય પ્રજાની લાગણીઓ દુભાઈ શકે છે, જેના પરિણામે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નહીં થાય.