અમદાવાદ,
મેટ્રો સીટી અમદાવાદમાં બિલ્ડરો બેફામ બની રહ્યાં છે. કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોની મીલીભગત ઉડીને આંખે વળગે તેવો કિસ્સો સામે આવ્યો છે અને બિલ્ડરો પોતાની નવી નવી સ્કીમો બહાર પાડતાં રહે છે પરંતુ તેમાં જે કાચો માલ સામાનનો ઉપયોગ કરે છે .તેમાં ભ્રષ્ટાચાર કરતાં હોવાને કારણે દીવાલો ધરાશાયી થાય છે અને જેનો ભોગ ખરીદનાર બને છે.
આવી જ એક સ્કીમ શહેરના જોધપુર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના બની રહી છે, ત્યાં સોમેશ્વર એપાર્ટમેન્ટની મોટી દીવાલ બાજુમાં ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઇટ માટે ખોદેલા ઊંડા ખાડામાં ખાબકી હતી.
એ સમયે સોમેશ્વર એપાર્ટમેન્ટના રહીશની એક કાર દીવાલ પાસે પાર્ક કરી હતી. દીવાલ ધરાશાયી થતાં કાર પણ ઊંડા ખાડામાં ખાબકી હતી. દીવાલ ધરાશાયી થતાં કોઇ જાનહા થઇ નથી, પરંતુ જેસીબી, ટ્રેક્ટર અને કારને નુકસાન પહોંચ્યું છે.
સોમેશ્વર એપાર્ટમેન્ટને અડીને પેલેડિયમ એપાર્ટમેન્ટનું બાંધકામ થઈ રહ્યું છે, જેના લીધે આ દીવાલ ધરાશાયી થઇ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. ચારેબાજુ કોંક્રિટના જંગલોની જેમ ફાટી નીકળેલી આ સાઈટોને કારણે બાજુની જમીન પોચી પડી જાય છે જેને કારણે નજીકમાં આવેલ બિલ્ડિંગ કે મકાનની દીવાલ ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે .