શિયાળાની ઋતુમાં ઘણા ફળો અને શાકભાજીઓ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળું પણ એક એવું જ ફળ છે, જેનું સેવન ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો માટે કરવામાં આવે છે. આમળાનું અથાણું અથવા મુરબ્બો, માત્ર સ્વાદમાં જ અદભુત નથી, પરંતુ તેના રોજિંદા સેવનથી આંખો અને ત્વચાની સાથે સાથે અન્ય અવયવોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
નિષ્ણાતો ડાયાબિટીસ જેવી બીમારીમાં આમળાના રસનું સેવન કરવાની સલાહ આપે છે. સ્ટડી દર્શાવે છે કે આમળામાં ઘણા એવા પોષક તત્વો ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે, જેને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શિયાળાની ઋતુમાં દરરોજ એક આમળાના સેવનની ટેવ પાડવી જોઈએ. આ નાનું ફળ કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન-સીથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભ વિશે.
આમળાના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. આમળામાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે જે તમારા લોહીના પ્રવાહમાં સુગરના શોષણને ધીમું કરે છે, જે બ્લડ સુગરના લેવલને વધતું અટકાવે છે. આમળામાં હાજર પોલિફેનોલ્સ શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને ક્રોનિક હેલ્થ કન્ડિશનને વધતા અટકાવે છે. આમળા શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ પ્રતિક્રિયાશીલ બનાવે છે. આ ઇન્સ્યુલિનનું શોષણ વધારે છે. આ રીતે બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
આમળા જેવા ફળોના સેવનથી હૃદયરોગનું જોખમ ઘટે છે. આમળામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. એન્ટીઓક્સિડન્ટ્સ લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. આમળાનું રોજ સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે.આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટૉક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.